જામનગર,
જામનગરમાં યોજાયેલા ખેડૂત મહાસંમેલનમાં હાર્દિક પટેલે ખેડૂતલક્ષી વાત કરી. સરકારને વેધક સવાલ કર્યો. પાકવીમાનાં રૂપિયા ઉઘરાવી સરકારે ખેડૂતો સાથે મજાક કરી છે.
સરકારે પાકવીમાનાં નામે 75 હજાર કરોડ ઉઘરાવામાં આવ્યા જેમાંથી 25 હજાર કરોડ ચુકવવાામાં આવ્યા તો 50 કરોડ રૂપિયા સરકારે કર્યા ખર્ચયા સરકારે જવાબ આપે. ખેડૂતોના પડતર પ્રશ્નો અંગે સરકારે વિચારવુ જોઇએ.
લોકસભાની ચૂંટણી લડવાના મામલે નિવેદન આપતા જણાવ્યુ કે હજુ સુધી વિચાર્યુ નથી પરંતુ 25 હજાર લોકોમાંથી હકારાત્મક અભિગમ મળ્યો છે. જ્યારે 5 હજાર લોકો વિચારણા કરવાની વાત કરી રહ્યા છે. હાર્દિકે જણાવ્યુ હતુ કે જ્યારે ચૂંટણી લડવાનું નક્કી થાશે ત્યારે મીડિયાને ચોકકસ જણાવીશ.