અમદાવાદ,
લોકસભાની ચૂંટણી જેમ જે નજીક આવી રહી છે. તેમ તેમ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગીને લઇને કવાયત હાથ ધરી છે. ઉમેદવારોની પસંદગીને લઇને ભાજપ આજે મનોમંથન કરશે અને 3 સભ્યોની પેનલ ઉમેદવારોની પસંદગી મુદ્દે ચર્ચા વિચારણા કરશે અને અભિપ્રાય પણ લેશે. કાર્યકર્તા પાસેથી પણ સૂચનો અને અભિપ્રાય લેવામાં આવશે.