અમદાવાદમાં BRTSનો કહેર હજુ યથવાત જોવા મળી રહ્યો છે.શહેરમાં BRTSની અડફેટે આવીને લોકોના મોત થઇ રહ્યા છે. શહેરમાં BRTS બસની અડફેટે આવી જતા યુવકનું મોત થયું છે. અમરાઈવાડી વિસ્તારમાં રહેતો જયકુમાર ચૌહાણ તેનું એક્ટિવા લઈ જઈ રહ્યો હતો ત્યારે બસની અડફેટે આવી ગયો હતો અને તેનો જાન ગયો હતો.
નારોલથી જશોદાનગર તરફ જવાના માર્ગ પર બેફામ દોડતી બીઆરટીએસ બસે શનિવારે રાત્રે 8.30 વાગ્યે એક એક્ટિવા ચાલકને ટક્કર મારતા સ્થળ પર જ તેનું કરૂણ મોત નિપજ્યું હતું. બીઆરટીએસ બસ લઈ ડ્રાઇવર ફરાર થઈ ગયો હતો.જો કે BRTS બસ કે ફોર વહીલર ચાલકે અકસ્માત સર્જ્યો છે તે મામલે જાણવા મળ્યું નથી. BRTS બસે ટક્કર મારી કે કારચાલકે તે મામલે પોલીસ તપાસ શરૂ કરી છે.
ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.