બનાસકાંઠા ઉપરા છાપરી માઠા સમાચારની વણજારેને તોડી ઘણા લાંબા સમયે સારા સમાચાર આવ્યા છે. જી હા આ સમાચારથી બેબાકળો બનેલો ખેડૂતો હરખાઇ ઉઢ્યો છે. સમાચાર આવતા ખેડૂતોનાં જીવમાં જાણે જીવ આવી ગયો હોય તેવુ પ્રતિત થાય છે, તો બનાસકાંઠા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે.
જી હા, તમે સાચો જ આંદાજ માડી રહ્યા છે. આ સમાચાર છે તીડ મામલે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે બનાસકાંઠાનાં વાવનાં મીઠાવી ચારણમાં તીડનાં વિશાળ ઝુંડે પ્રવેશ કર્યો હતો. અચાનક જ આ ઝુંડનું જાણે હદય પરિવર્તન થઇ ગયુ હોય તેવી રીતે તીડે પોતાની દિશા બદલી નાખી છે અને તીડ સરહદી વિસ્તારમાં પ્રવેશ બાદ પાછું ઉડી જતા તંત્ર અને ખેડૂતોને હાંસકારો મળ્યો છે. જો કે, તીડ બનાસમાં પ્રવેશતાની સાથે જ તીડના પ્રવેશ મામલે તંત્ર એલર્ટ બન્યું હતું. હાલ તીડે પોતાની દિશા બદલતા બનાસમાં ખેડૂતોને હાસકારો થયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન