સમગ્ર દુનિયાના જળવાયું પરિવર્તન સામે લડી રહી છે અને છેલ્લા કેટલાક વર્ષોથી વિશ્વના અનેક દેશોમાં એવી અનેક કુદરતી આફતો સામે લડી રહ્યા છે,જેના માટે જળવાયું પરિવર્તન જવાબદાર છે. આ સ્થિતિમાં દુનિયાની તમામ મહાસત્તાઓથી લઈ અનેક નાના મોટા દેશો પરેશાન છે.
આ સ્થિતિમાં હવે વૈશ્વિક જળવાયુ પરિવર્તનની ચર્ચા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેનને એક વૈશ્વિક જળવાયુ સંમેલન બોલાયું છે અને આ માટે તેઓએ ભારતના પીએમ મોદી સહિત વિશ્વના 40 નેતાઓને વૈશ્વિક જળવાયુ સંમેલનમાં ચર્ચા માટે આમંત્રિત કર્યા છે.
આ પણ વંચો :બાંગ્લાદેશમાં PMના ફેશનની પણ ચર્ચા, ‘મુજીબ જેકેટ’ પહેરવા પાછળનું કારણ શું
મળતી માહિતી અનુસાર, આ વૈશ્વિક જળવાયુ સંમેલન આગામી 22 અને 23 એપ્રિલના રોજ વ્હાઇટ હાઉસમાં યોજાશે, જેમાં બિડેનને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને ચીનના રાષ્ટ્રપતિને પણ આમંત્રિત કર્યા છે, આ સંમેલનમાં જળવાયુ પ્રદૂષણ ઓછું કરવા પર કરાશે ચર્ચા.
બીજી તરફ રશિયા અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે બાઇડનનો આ નિર્ણય મહત્વનો મનાઇ રહ્યો છે.
આપને જણાવી દઈએ કે, હાલમાં દુનિયામાં કહેર મચાવી રહેલા કોરોના વાયરસના મહામારી વચ્ચે વૈશ્વિક સ્તરે સતત જળવાયુ ચિંતાનો વિષય બની રહ્યો છે, આ કારણે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનની તરફથી વૈશ્વિક જળવાયુ ચર્ચાનું આયોજન કરાયું છે.
આ પણ વંચો :ચીનના પરમાણુ બોમ્બર વિમાનો તાઇવાનની બોર્ડરમાં ઘૂસ્યા, 20 ફાઇટર વિમાનો સાથે સૌથી મોટી ઘુસણખોરી
આ પણ વંચો :આજે આ મંદિરોમાં પૂજા કરશે પીએમ મોદી, કરાઈ છે ખાસ તૈયારીઓ