Australia: ઓસ્ટ્રેલિયાના એક મોટા હિંદુ મંદિરમાં ધમકીનો ફોન આવતાં હોબાળો મચી ગયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વ્યક્તિએ ધમકી આપી હતી કે જો તમે 18 ફેબ્રુઆરીએ શાંતિપૂર્ણ રીતે મહાશિવરાત્રિ ઉજવવા માંગતા હોવ તો ખાલિસ્તાની તરફી નારા લગાવો. ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યમાં ખાલિસ્તાની સમર્થકો દ્વારા કથિત રીતે ભારત વિરોધી ગ્રેફિટી સાથે ત્રણ હિંદુ મંદિરોમાં તોડફોડ કરવામાં આવ્યા બાદ બ્રિસ્બેનમાં ગાયત્રી મંદિરને ધમકી આપવામાં આવી હતી.
ગાયત્રી મંદિરના ( Australia) પ્રમુખ જય રામ અને ઉપ-પ્રમુખ ધર્મેશ પ્રસાદને શુક્રવારે એક વ્યક્તિ પાસેથી અલગ-અલગ ફોન આવ્યા કે જેમણે પોતાને ‘ગુરુવદેશ સિંહ’ તરીકે ઓળખાવ્યા અને હિંદુ સમુદાયને ખાલિસ્તાન જનમતને સમર્થન આપવા વિનંતી કરી, ધ ઑસ્ટ્રેલિયા ટુડેએ અહેવાલ આપ્યો. તે વ્યક્તિએ તેના ફોન કોલ દરમિયાન કહ્યું કે મારી પાસે ખાલિસ્તાન સંબંધી એક સંદેશ છે… જો તમે મહા શિવરાત્રીની ઉજવણી કરવાનું વિચારી રહ્યા હોવ તો…. પૂજારીને ખાલિસ્તાનને સમર્થન આપવા માટે કહો અને તમારા કાર્યક્રમ દરમિયાન પાંચ વખત મંત્રોચ્ચાર કરવા કહો. ખાલિસ્તાન ઝિંદાબાદ’. તે જ સમયે, આ ફોન કોલ પછી, મંદિર પ્રબંધન એલર્ટ થઈ ગયું છે અને ત્યાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.
ધમકીભર્યા કોલ વિશે ( Australia) વાત કરતાં મંદિરના ઉપપ્રમુખ પ્રસાદે કહ્યું કે ધાર્મિક સ્થળો પ્રત્યે હિંસા એ સૌથી મોટો ગુનો છે અને હિન્દુઓએ ડર્યા વિના તેમના ધર્મનું પાલન કરવું જોઈએ. બાદમાં મંદિરના જનસંપર્ક અધિકારી નીલિમાએ પણ કહ્યું કે તેમને એક અમેરિકન નંબર પરથી ઘણા ફોન આવ્યા હતા.