ગાંધીનગરઃ ચિત્રોડ ગામે મોમાઈ માની મૂર્તિ ખંડિત કરવાના કિસ્સામાં મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ પોલીસે આરોપીને ઝડપ્યો હતો. પોલીસે મંતવ્ય ન્યૂઝના અહેવાલ પછી ગણતરીના દિવસોમાં જ આરોપીને ઝડપ્યો હતો.
મંતવ્ય ન્યૂઝે મોમાઈ માની મૂર્તિ ખંડિત કરવાના અહેવાલ આપ્યા બાદ પોલીસ તેમજ રાજકારણીઓ દોડતા થયા હતા. અસામાજિક તત્વોને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે આ કેસમાં ગામમાં જ રહેતા પ્રભુ નામના વ્યક્તિની અટકાયત કરી હતી. ગાગોદર પોલીસ આ કિસ્સામાં આગળ તપાસ હાથ ધરે તેમ મનાય છે. કોમી વૈમનસ્ય સર્જવા માટે આ કામ કર્યુ હોવાનું પોલીસ માની રહી છે.
આ પણ વાંચોઃ ચોટીલા પાસે એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, ઘટનાસ્થળ પર જ 3ના મોત