Gujarat Weather News: ગુજરાતમાં આગ ઝરતી ગરમી પડી રહી છે ત્યારે હવામાન વિભાગના નિષ્ણાત અંબાલાલ પટેલે હવામાનની નવી આગાહી કરી છે. એપ્રિલની શરૂઆતમાં જ વંટોળ આવવાની સંભાવના છે. માહિતી મુજબ આગામી બે દિવસ તાપમાનમાં આંશિક ઘટાડો થશે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ, ગાંધદીનગરમાં સૌથી વધુ તાપમાન નોંધાયું છે.
આગાહી પ્રમાણે સવાર સાંજ ઠંડક રહેશે. 1 થી 5 એપ્રિલે ગુજરાતમાં વંટોળ આવવાનું અનુમાન થઈ રહ્યું છે. એટલું જ નહીં, રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં કોઈ પણ સમયે છૂટોછવાયો વરસાદ પડી શકે છે. વરસાદી ઝાપટાને કારણે વાતાવરણમાં પલટો આવશે. સાથે સાથે ગુજરાતમાં 44 ડિગ્રી જેટલું મહત્તમ તાપમાન રહેવાથી કાળઝાળ ગરમી પડશે.
રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાતમાં ગરમીનું જોર વધશે. હવામાન વિભાગના નિષ્ણાત અંબાલાલ પટેલે બેવડી ઋતુની આગાહી કરી છે. ગરમી સાથે વંટોળ આવવાથી ખેડૂતોના પાકને નુકસાન થવાની વકી છે.
આ પણ વાંચો:PM Modi and Khadge/4 જજોએ પ્રેસ કોન્ફરન્સ કેમ કરી? પીએમ મોદી અને ખડગે ધાકધમકીનાં આરોપમાં સામસામે
આ પણ વાંચો:Foreign Minister of Ukraine/યુક્રેનના વિદેશ મંત્રી પ્રથમ વખત ભારતની મુલાકાતે
આ પણ વાંચો:Mukhtar Ansari Death/મુખ્તાર અન્સારીનું આજે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, તેમના અંતિમ સંસ્કાર પૈતૃક