Telangana News : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેલંગણામાં એક ચૂંટમી રેલીને સંબોધિત કરતા પાર્ટીના “જેટલી આબાદી તેટલો હક “ નારાનો ઉલ્લખ કરતા કહ્યું કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો નાણાકીય અને સંસ્થાગત સર્વેક્ષણ કરાવશે કે દેશની મોટાભાગની સંપત્તિ પર કોનું નિયંત્રણ છે. કોંગ્રેસનું ઘોષણાપત્ર જાહેર કર્યા બાદ હૈદરાબાદમાં એક સાર્વજનિક રેલીને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે પાર્ટી સત્તામાં આવશે તો રાષ્ટ્રવ્યાપી જાતિ જનગણના સિવાય વ્લેથ સર્વે (સંપત્તિના ભાગલાનો સર્વે) કરાવવામાં આવશે. આ અમારો વાયદો છે.
તેમણે કહ્યું કે અમે પહેલા એ નિર્ધારિત કરવા માટે એક રા,ટ્રવ્યાપી જાતિ જનગણના કરીશું કે કેટલા લોકો પછાત વર્ગ (ઓબીસી). અનુસુચિત જાતિ (એસસી), અનુસુચુત જનજાતિ(એસટી) અને અલ્પસંખ્યક સમુદાયના છે. ત્યારબાદ ધનનું સમાન વિતરણ સુનિશ્ચિત કરવા માટે એક ઐતિહાસિક પગલા હેઠળ અમે એક નાણાકીય અને સંસ્થાગત સર્વે કરાવીશું. એ રેખાંકિત કરવા માટે કે પાર્ટી તમામ ક્ષેત્રોમાં તમામ સમુદાયોનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરશે. રાહુલે કહ્યું કે કોંગ્રેસ તે નિશ્ચિત કરશે કે તે લોકોને તેમની યોગ્ય હિસ્સેદારી અપાવે.
આ પણ વાંચો: Loksabha Election 2024/ગુજરાત કોંગ્રેસમાં વિવિધ કમિટીઓની જાહેરાત, કોને જવાબદારીઓ સોંપાઈ
આ પણ વાંચો: Anand/બોગસ માર્કશીટથી વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ
આ પણ વાંચો: Women leader/કરણીસેનાની બે મહિલા આગેવાનોને પોલીસે કર્યા નજરકેદ