Assam News : આસામના મુખ્યમંત્રી હિમંતા વિશ્વ શર્માએ શનિવારે દાવો કર્યો હતો કે ઉત્તરપૂર્વમાં પ્રથમ વખત અહીંની સરકારી હોસ્પિટલમાં ‘બ્રેન ડેડ’ વ્યક્તિની કિડનીનું સફળતાપૂર્વક બે લોકોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. શર્માએ જણાવ્યું હતું કે અકસ્માત પીડિતને ‘બ્રેઈન ડેડ’ જાહેર કરવામાં આવ્યો હતો અને તેની બે કિડની ગુવાહાટી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં (GMCH) બે લોકોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી.
શર્માએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “GMCHમાં છેલ્લા છ વર્ષથી કિડની ટ્રાન્સપ્લાન્ટેશન થઈ રહ્યું છે, પરંતુ આ પહેલીવાર છે જ્યારે ‘બ્રેઈન-ડેડ’ દાતાની કિડની ટ્રાન્સપ્લાન્ટ પરિવારની પરવાનગીથી સફળતાપૂર્વક કરવામાં આવી હતી.” . તેમણે કહ્યું કે આ પ્રકારની પ્રક્રિયા અગાઉ જીએમસીએચમાં પણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તે સફળ થયો ન હતો.
મુખ્યમંત્રીએ તાજેતરમાં આરોગ્ય વિભાગનો ચાર્જ સંભાળ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે સરકારી હોસ્પિટલમાં ‘બ્રેન ડેડ’ વ્યક્તિની સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટેશનનો આ સમગ્ર ઉત્તર-પૂર્વમાં પ્રથમ કેસ છે.
આ પણ વાંચો: પરીક્ષાઓમાં ગેરરીતિ રોકવા દેશમાં પેપર લીક વિરોધી કાયદો લાગૂ
આ પણ વાંચો: વિદ્યાર્થીઓ માટે ખરાબ સમાચાર! NTAની આ મોટી પરીક્ષા પણ સ્થગિત