કચ્છ
કચ્છના સરહદી લખપત તાલુકામાં તંત્રની ગંભીર ભૂલ સામે આવી હતી. એક બાળકને એક નહિ પરંતુ બે વખત ઓરી રૂબેલાની રસી અપાઈ હતી. તંત્રની બેદરકારીથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
પહેલા પાંધ્રોની આંગણવાડી નંબર 7 માં બાળકને રસી અપાઈ ત્યારબાદ પાંધ્રોની પ્રાથમિક શાળામાં બાળકને રસી અપાઈ હતી. એક બાળકને માત્ર એક જ વાર રસી આપવાના નિયમની ઐસીતૈસી થતી હોય તેવું જણાઈ આવે છે.
એક તરફ ઓરી રૂબેલાની રસી સામે ગેર માન્યતા પ્રવતે છે અને તંત્ર રસીકરણ અંગે જાગૃતિ ફેલાવે છે ત્યારે એક બાળકને બે વાર રસી આપી તંત્રએ મોટી ભૂલ કરી છે. આ અંગે જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ છે.