વલસાડ
વલસાડનાં પારડીનાં તબીબ કાર્તિક ભદ્રાએ હીમાલય પર તિરંગો લહેરાવ્યો. 31 પ્રવાસીઓએ 7 દિવસની સંઘર્ષમય યાત્રા બાદ આ ગૌરવાન્વિત કાર્ય પૂરૂ કર્યું.
આ યાત્રામાં વલસાડનાં તબીબ ભદ્રા સહિત વલસાડનાં 2 પ્રવાસીઓએ પણ ભાગ લીધો હતો. પ્રવાસીઓએ હિમાલય પર આવેલા કેદાર કંઠ પહોંચી માઈનસ 19 ડીગ્રી થી 35 ડિગ્રી તાપમાનમાં તિરંગો લહેરાવ્યો. જોકે તિરંગો લહેરાવ્યા બાદ પ્રવાસીઓમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ હતી.