મુંબઈના કુર્લા ખાતે આવેલ નહેરુ નગરમાં બુધવારે સવારે એક મોટો અકસ્માત સર્જાયો હતો. અહીં રહેણાંક સોસાયટીમાં પાર્ક કરેલી 20 બાઇકમાં વહેલી સવારે આગ લાગી હતી. સોસાયટીના સભ્યોને આગની માહિતી મળતા જ ગભરાટ ફેલાયો હતો. આ મામલે ફાયરબ્રિગેડ અને પોલીસને જાણ કરવામાં આવતા તેમનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આગ એટલી ભીષણ હતી કે તમામ બાઇક આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી.
આ પણ વાંચો : PM મોદીએ જી -20 ની બેઠકમાં કહ્યું: અફઘાનિસ્તાનને આતંકનો ગઢ ન બનવા દેવુંએ વૈશ્વિક જવાબદારી છે
એક અહેવાલ અનુસાર, વહેલી સવારે 20 બાઇકને નુકસાન થયું હતું. આ દુર્ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાની થઈ નથી. અત્યારે આગ કાબૂમાં આવી છે, પરંતુ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જોકે, પોલીસ અધિકારીઓની ટીમ સ્થળ પર હાજર છે અને તપાસ કરી રહી છે.
આ પણ વાંચો :અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના ત્રણ અર્થશાસ્ત્રીઓને નોબલ એવોર્ડ મળ્યો
આ પણ વાંચો :સલમાનને બચાવનારા વકીલ હવે આર્યન ખાનનો બચાવ કરશે, શાહરૂખ ખાનની છેલ્લી આશા!
આ પણ વાંચો :રાકેશ ટિકૈતે કહ્યું – પોલીસમાં મંત્રીના પુત્રની પૂછપરછ કરવાની હિંમત નથી, ગુલદસ્તા વાળું રિમાન્ડ