રાજ્યમાં કોરોનાની સ્થિતિ હાલ સામાન્ય છે કોરોનાના નવા કેસમાં નજીવો વધારો થયો છે ,એકંદરે રાજ્યમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં છે છતા પણ કેસમાં આંશીક વધારો થયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 26કેસ નોંધાયા છે.
રાજ્યમાં હાલ કોરોનાની સ્થિતિ અકુંશમાં હોવાથી જનજીવન રાબેતા મુજબ બન્યું છે . જો કે છેલ્લા 24 કલાકમાં કેસમાં વધારો નોંધાયો છે.કોરોનાના નવા સક્રમણના 24કેસ નોંધાયા છે જે ગઇકાલની સરખામણીમાં વધારે છે. જ્યારે ગુજરાતમાં કુલ કોરોના કેસની સંખ્યા 8,25,713 છે. જો કે છેલ્લા 24 કલાકમાં કોરોનાથી એક પણ મરણ થયું નથી. આરોગ્ય વિભાગના આંકડા પરથી સ્પષ્ટ છે કે રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ સામાન્ય બની છે પરંતુ કોરોનાનું જોખમ સંર્પુણ રીતે ઓછુ થયુ નથી . રાજ્યમાં કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા પણ વધી છે. કોરોનાને હરાવીને સાજા થઇને ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 20 છે.અને કોરોનાથી સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,15,929 છે.હજુપણ કોરોનાના 195 એક્ટિવ કેસ છે
ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર કોરોનાને લઇને એગ્રેસર જોવા મળે છે, હાલ સરકારે વેક્સિનેશન પર ભાર મુક્યો છે. રાજ્યમાં અનેક સ્થળો પર વેક્સિનેશન સેન્ટર પણ ખોલવામાં આવી રહ્યા છે.