પાટણના સિદ્ધપુરમાં અજાયબ ઘટના બની. સિદ્ધપુરની ગોકુલ મિલના એક કર્મચારીની અન્નનળીમાં ઉલિયું ફસાઈ ગયું, પાટણના ડોક્ટરોએ મહામહેનતે કર્મચારીની અન્નનળીમાંથી ઉલિયુ બહાર કાઢ્યું.
ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ ગોકુલ મિલના કર્મચારી સવારે પોતાનો રોજિંદા નિત્યક્રમ કરી રહ્યા હતા. દરમ્યાન બ્રશ કર્યા પછી ઉલ કરતા ગળાના ભાગમાંથી ઉલિયું અન્નનળીમાં જતું રહ્યું. અન્નનળીમાં ઉલિયું જતા કર્મચારીને અસહ્ય દુખાવો થવા લાગ્યો. અસહ્ય દુખાવાને પગલે કર્મચારી સિદ્ધપુરની હોસ્પિટલમાં ડોક્ટર પાસે ગયો. જ્યાંના ડોક્ટરોએ દર્દીને પાટણના ડોક્ટરો પાસે મોકલ્યો. પાટણના ડોક્ટરોએ એન્ડોસ્કોપીની મદદથી તપાસ કરીને ગળામાંથી ઉલિયુ બહાર કાઢી દીધું. ગોકુલના કર્મચારીની અન્નનળીમાંથી ઉલિયુ બહાર નીકળતા જ અસહ્ય દુઃખાવામાંથી રાહત મળી.
આ પણ વાંચોઃIPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા
આ પણ વાંચોઃ IPL 2024ની શરૂઆત પહેલા આ ટીમનું ટેન્શન થયું ડબલ, ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ રમવાનો કર્યો ઇનકાર
આ પણ વાંચોઃ ચિદંબરમ સ્ટેડિયમની પીચ કઈ ટીમને પ્રથમ મેચ જીતાડશે….