- વડોદરા:ગરબાના ગ્રાઉન્ડમાં જ યુવાનની આત્મહત્યા
- ગરબા મેદાનમાં યુવાને ફાંસો ખાઈ આપઘાત કર્યો
- લાઈટના બનાવેલા ટાવર પર ચઢી યુવાને ફાંસો ખાધો
Vadodara News: હાલ સમગ્ર દેશ અને ગુજરાતમાં નવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પવન પર્વ પર વડોદરાથી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. અહીં ગરબા ગ્રાઉન્ડ પર એક યુવાને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. વડોદરાના નવલખી મેદાનમાં યુવકે લાઈટના ટાવર પર જઈને ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાની પ્રારંભિક માહિતી સામે આવી છે. જેના પછી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે.
મળતી માહિતી અનુસાર, નવલખી મેદાનમાં આયોજિત વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ ગરબા મેદાનની ઘટના છે. વહેલી સવારે ગ્રાઉન્ડ પર યુવકનો લટકતો મૃતદેહ જોવા મળ્યો. વડોદરામાં ગરબા મેદાનમાં યુવાને ફાંસો ખાઈ આપઘાત કરતાં ચકચાર મચી ગઈ છે. લાઈટના બનાવેલા ટાવર પર ચઢી યુવાને ફાંસો ખાઈ આપઘાત કર્યો છે.
જ્યારે ઘટના અંગે પોલીસ દ્વારા આયોજકોની પૂછપરછ કરતા આયોજક દિપક પટેલે જણાવ્યું કે, રાત્રે 3 વાગ્યા સુધી સિક્યોરિટી પાર્કિંગમાં હાજર રહી હતી. જે સમયમાં કોઈ પણ ઘટના બની ન હતી. જે પછી સવારે 4 થી 5 વાગ્યાની વચ્ચે ઘટના બની હોવી જોઇએ. તેમજ આયોજકે જણાવ્યું કે, મૃતક કોણ છે અને તેના અંગે જાણકારી નથી. અન્ય સ્થળ પર કામ કરતો હોય તેવું લાગી રહ્યું છે. જેના અંગે કોઈપણ માહિતી નથી.
ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ પહોચી હતી અને યુવકના મૃતદેહને નીચે ઉતાર્યો હતો. આ યુવક કોણ છે અને આ આત્મહત્યા છે કે હત્યા તે અંગે રાવપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:પિતા-પુત્રીના સંબંધને લાંછન લગાડતો કિસ્સો, સાવકા પિતાએ સાવકી પુત્રી સાથે કર્યા અડપલાં
આ પણ વાંચો:ચાચરચોકમાં ગરબા માટેનો નિયમ બદલાયો, જાણો શું કરાયો ફેરફાર
આ પણ વાંચો:મહેસાણામાં ધોરણ 6, 7 અને 8ના પેપર ફૂટ્યાનો દાવો
આ પણ વાંચો:છોટાઉદેપુરની સરકારી શાળામાં મધ્યાન ભોજનમાં સડેલુ અનાજ જોવા મળ્યુ