છેલ્લા કેટલાક સમયથી બાલાકોટને લઇને સવાલો ઉભા થઇ રહ્યા છે કે શું આ હુમલામાં કોઇ આતંકી માર્યો ગયો હતો? સત્તા પક્ષ આ એરસ્ટ્રાઇકને પોતાની જીત બતાવે છે તો વિપક્ષ સવાલો કરી રહી છે. ત્યારે આ મુદ્દે વિદેશી મીડિયાએ બાલાકોટમાં થયેલા હુમલામાં આતંકીઓ માર્યા ગયા હોવાની પુષ્ટી કરી છે. એક ઇટલીનાં પત્રકારે બાલાકોટમાં થયેલી એરસ્ટ્રાઇક પર એક વિવરણ છાપ્યુ છે.
બાલાકોટમાં એરસ્ટ્રાઇક દરમિયાન કેટલા આતંકી અથવા નાગરીક માર્યા ગયા તે વિશે ઇટલીનાં એક પત્રકાર ફ્રેંસેસા મૈરિનોએ એક વેબસાઇટમાં ભારતીય વાયુસેનાનાં બાલાકોટમાં કરવામાં આવેલી એરસ્ટ્રાઇકનું પૂરુ વિવરણ છાપ્યુ છે. મૈરિનોએ જણાવ્યુ કે, એરસ્ટ્રાઇકમાં 130-170 આતંકીઓ માર્યા ગયા હોવાનો અનુમાન છે. હુમલામાં તે આતંકીઓનો પણ સમાવેશ થાય છે જે ઘાયલ થયા હતા અને સારવાર દરમિયાન મૌત નિપજ્યુ હતુ. આ પહેલા ભારતીય વાયુસેનાની એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાને આ હુમલામાં કોઇ જાનહાનિ થઇ હોવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યારબાદ ઘણી વિદેશી મીડિયાએ આ હુમલા પર સવાલો ઉઠાવ્યા હતા. ત્યારે ઇટલીથી આવી રહેલા આ સમાચાર ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલી એરસ્ટ્રાઇક પર સ્ટેમ્પ લગાવ્યા બરાબર છે.
ઉલ્લેખનીય છે કે, પુલવામા હુમલા બાદ ભારત તરફથી જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમા આતંકી સંગઠન જૈશ-એ-મહોમ્મદનાં ઠેકાણા પર બોમ્બનાં ગોળા ફેકવામાં આવ્યા હતા.