@Sagar Sanghani
Jamnagar News: જામનગર લાલપુર રોડ પર આવેલ ચંગા અને ચેલા વચ્ચે આવેલ સોમનાથ હોટલ પાસે અકસ્માત સર્જાયો જેમાં એક ખાનગી બસ પલટી ખાઈ ગઈ જેમાં 10 થી વધુ પેસેન્ઝરોને ઈજા પહોંચી છે અને વાહન ચાલકો અને ગ્રામજનો દ્વારા ઘાયલોને બહાર કાઢી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.
જ્યારે ઘટનાની જાણ થતા ની સાથે જ ત્રણ 108 એમ્બ્યુલન્સ દ્વારા તમામ મુસાફરોને સારવાર બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
બીજી તરફ ઘટનાની જાણ પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્તરે દોડી પહોંચી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તેમજ જામનગર લાલપુર રોડ પર આવેલ ચેલા અને ચંગા ગામની જુલાઈ પાસે ખાનગી બસ ઉલટી મારી જતા 10 થી વધુ મુસાફરો ગવાયા છે ત્યારે હાલ બચાવ કામગીરી ગ્રામ લોકો દ્વારા કરવામાં આવી રહી છે બીજી તરફ જામનગર થી ફાયર બ્રિગેડ પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ની ટીમો મદદથી પહોંચી છે અને જીજી હોસ્પિટલ ખાતે ટીમો બસ સ્ટેન્ડ બાય રાખવામાં આવે છે. હાલ તમામ મુસાફરોને બસમાંથી બહાર કાઢીને જીજી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવી રહ્યા છે.
જ્યારે બસ વિરમગામ થી LC 8 કોલોની માં જતી હતી જ્યારે આ બસમાં એલ એન્ડ ટી કંપનીના પરપ્રાંતી મજૂર મુસાફરી કરતા હતા ત્યારે ચંગા ચેલા પાસે ગુલાઇપર બસ પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો જેમાં 10 થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા અને તમામને સારવાર અર્થે જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
જ્યારે બસ જામનગર ની વરૂડી ટ્રાવેલ્સની હોય તેવી માહિતી મળી રહી છે જે બસના નંબર GJ01DX2192 કે જે વિરમગામ થી આવતી હતી અને તેમાં પરપ્રાંતી મજૂરો સવાર હતા.
આ પણ વાંચો:કચ્છમાં વધુ એક વખત ધરા ધ્રુજી, મોરબીમાં પણ આંચકા અનુભવાયા
આ પણ વાંચો:પીપાવાવ પાસેથી પેટ્રોલ, ડીઝલનો જથ્થો પકડાતા રેકેટનો પર્દાફાશ
આ પણ વાંચો:મોરબીમાં પફમાંથી એક ઇંચ જેટલો લોખંડનો સ્ક્રુ નીકળ્યો