અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં એક પાણીની જર્જરીત ટાંકી ધરાશાયી થઇ છે. જેમાં ત્રણ વ્યક્તિના દબાઈ જતા મોત થયા છે. જયારે 9 ઘાયલ થયા છે. તેમને વધું સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે. હજુ પણ વધુ લોકો ટાંકી નીચે ફસાયા ની આશંકા સેવાઈ રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદના બોપલ વિસ્તારમાં તેજસ સ્કુલ ની પાસે એક પાણી ની ટાંકી ધરાશાયી થી છે. જેના કાટમાળમાં દબાઈ જતા ત્રણ વ્યક્તિના મોત નીપજ્યા છે. જયારે 9 ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ ટાંકી 25 વર્ષ કરતા વધુ જૂની હતી. સ્થાનિક લોકો દ્વારા વારંવાર નગરપાલિકા તંત્ર ને આ ટાકી ઉતારી લેવા માટે રજુઆત કરવામાં આવી હોવા છતાય પાલિકા તંત્ર દ્વારા કોઈ પણ પગલા ભરવામાં આવ્યા ન હતા.
ઘટના ની જાણ થતા જ ફાયર વિભાગની બે ગાડી તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.