યુનિવર્સિટીના પરીક્ષા વિભાગની બેદરકારી આવી સામે
યુનિવર્સિટીના કારણે વિદ્યાર્થીનું ભાવિ જોખમમાં
B.com નો અભ્યાસ કરતા વિદ્યાર્થીને નાપાસ કર્યો
પેપર બીજા પ્રોફેસર પાસે ચકાસણી કરાવતા ભૂલ આવી સામે
પેપરમાં જવાબો સાચા તેમ છતાં વિદ્યાર્થીને કરાયો નાપાસ
ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા વિભાગની મોટી બેદરાકારી સામે આવી છે. જેમાં એક વિદ્યાર્થીને નાપાસ બતાવવામાં આવ્યો છે. અને વિદ્યાર્થીના ભાવી સાથે ચેડા કરવામાં આવ્યા છે. એક વિદ્યાર્થીનું ભાવિ જોખમમાં મુકાઇ ગયું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર બીકોમમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીને યુનિવર્સિટીની પરીક્ષામાં નાપાસ કરવામાં આવ્યો હતો. જેથી વિદ્યાર્થીએ આરટીઆઇ કરીને જવાબવહી માંગી હતી. જેમાં પેપર ચકાસણી કરતાં પ્રોફેસરની બેદરકારી છતી થઇ હતી. જવાબવહી બીજા પ્રોફેસર પાસે ચકાસણી કરાવાતા વિદ્યાર્થી પાસ હોવાનું ખૂલ્યું હતું. જો કે હાલ તો આ ઘટનાને પગલે યુનિવર્સિટએ હાથ અધ્ધર કરી નાંખ્યા છે.
જો આવી જ ઘટનાઓ બનતી રહી તો વિધાર્થીઓનો પરીક્ષા પદ્ધતિ પર થી વિશ્વાસ જ ઉઠી જશે. તેમાં કોઈ બે મત નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.