મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના નેતા અજિત પવારે મંગળવારે બોમ્બે હાઇકોર્ટમાં અરજી કરી છે. નાગપુર બેંચમાં કરેલી અરજીમાં તેમણે સિંચાઈ કૌભાંડમાંથી પોતાનું નામ હટાવવાની માંગ કરી છે. પીટિશનમાં તેમણે કહ્યું હતું કે તેમની સામેના આરોપમાં યોગ્યતા નથી અને બદઇરાદા સાથે પોતાનું નામ દાખલ કરવામાં આવ્યું છે.
તાજેતરમાં, બોમ્બે હાઈકોર્ટે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) માં કથિત કરોડો રૂપિયાના વિદર્ભ સિંચાઈ કૌભાંડની તપાસની માંગની જાહેર હિતની અરજી પર સોમવારે મહારાષ્ટ્ર સરકારને સમન્સ પાઠવ્યું હતું.
આ પીઆઈએલ અતુલ જગતાપ અને એનજીઓ જનમંચે ફાઇલ કરી છે. આ અરજી હાઇકોર્ટની નાગપુર બેંચમાં ગયા અઠવાડિયે દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં આ કેસની તપાસની માંગ રાજ્યના એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) પાસેથી લઇ સીબીઆઈને સોંપવાની માંગ કરવામાં આવી છે.
એસીબીએ એનસીપી નેતા અજિત પવારને ક્લિનચીટ આપતા હાઈકોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું હતું. પવાર તે સમયે વિદર્ભ સિંચાઇ વિકાસ નિગમના અધ્યક્ષ હતા. ન્યાયાધીશ ઝેડ એ હક અને ન્યાયાધીશ એમ.જી. ગીરાતકરની ખંડપીઠે સોમવારે રાજ્ય સરકારને 15 જાન્યુઆરી સુધીમાં આ મામલે પ્રતિ-સોગંદનામું દાખલ કરવા આદેશ આપ્યો હતો.
હાઈકોર્ટમાં ફાઇલ કરેલા સોગંદનામામાં, એસીબીએ વિદર્ભ ક્ષેત્રમાં સિંચાઈ પ્રોજેક્ટ્સની મંજૂરી અને તેના અમલીકરણમાં કથિત ગેરરીતિઓને લગતા મામલામાં અજિત પવારની સંડોવણીને નકારી હતી. પુણે જિલ્લાના બારામતીના ધારાસભ્ય અજિત પવાર મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એનસીપી શાસન દરમિયાન 1999 થી 2009 દરમિયાન જળ સંસાધન પ્રધાન હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.