રણબીર કપૂર અને આલિયા ભટ્ટ હાલમાં બોલિવૂડના સૌથી ચર્ચિત કપલ્સમાંથી એક છે. બંને જલ્દી જ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. રિપોર્ટ્સનું માનીએ તો રણબીર અને આલિયા 14 એપ્રિલે લગ્ન કરશે. આ સિવાય તેઓ રિસેપ્શન પાર્ટી પણ યોજશે. રિસેપ્શન બંને મુંબઈની ફાઈવ સ્ટાર હોટેલ તાજમહેલ પેલેસમાં યોજાશે. આ ભવ્ય રિસેપ્શનમાં બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સ હાજરી આપે તેવી શક્યતા છે.
તાજ પેલેસમાં રિસેપ્શન યોજાશે
જો સૂત્રો પર વિશ્વાસ કરવામાં આવે તો, કપલ 17 એપ્રિલના રોજ ભવ્ય રિસેપ્શનનું આયોજન કરી રહ્યું છે. આ ફંક્શન મુંબઈના પ્રખ્યાત તાજ પેલેસમાં રાત્રે 9 વાગ્યે શરૂ થશે. રિસેપ્શનની વાત કરીએ તો તેમાં અર્જુન કપૂર, સિદ્ધાર્થ મલ્હોત્રા, રિતિક રોશન, કેટરિના કૈફ અને રાની મુખર્જી સહિત ઘણા સ્ટાર્સ જોવા મળશે. લગ્નમાં કરણ જોહર, મનીષ મલ્હોત્રા, ફરાહ ખાન, શાહરૂખ ખાન અને આમિર ખાન સહિત ઘણા સ્ટાર્સ હાજરી આપશે તેવી ચર્ચા છે.
રણબીર અને આલિયાના લગ્નને લઈને ઘણા સમયથી અફવાઓ ચાલી રહી હતી. પરંતુ કોરોના વાયરસના કારણે કપલ લગ્નની તારીખોને લઈને મૂંઝવણમાં હતું. હવે રણબીર અને આલિયાએ યોગ્ય તક જોઈને લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. લગ્ન પછી બંને પોતાના વર્કફ્રન્ટમાં વ્યસ્ત રહેશે. બંનેએ તેમના કામના કારણે હનીમૂન ટ્રીપ હાલ પુરતી મુલતવી રાખી છે.