અમરેલી,
અમરેલીમાં રાષ્ટ્રીય કિશાન સંગઠન દ્વારા જાહેર સંમેલન યોજાયુ. જિલ્લાને દુષ્કાળ ગ્રસ્ત સહિત અનેક મુદ્દાઓને લઈને સંમેલન યોજાયુ. જેશીંગ પરા, શિવાજી ચોક ખાતે આયોજન કરવામાં આવ્યું. ખેડૂતો દ્વારા ચાલતા બિનરાજકીય સંગઠન દ્વારા જાહેર સંમેલન યોજાયુ.
માંગ નહીં સ્વીકારાય તો આગામી સમયમાં દિવાળીને હોળી કરી રસ્તા રોકો આંદોલનની પણ પત્રિકામાં ચીમકી ઉચ્ચારાઇ. પત્રિકાના માધ્યમથી મોટી સંખ્યામાં ખેડૂતોને જોડાવા આહવાન કરાયું હતું. પરંતુ ખેડૂતોની સંખ્યા ઓછી હતી. વિવિધ પ્રકારની 13 માનગણીઓની પત્રિકા દ્વારા માંગ કરાઇ હતી. ખેડૂતોને કિસાન આગેવાનોના સંબોધન બાદ વિરાટ વાહનરેલી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાશે.