Not Set/ કાશ્મીરમાં સેનાએ એક આતંકવાદીને ઠાર માર્યો,24 કલાકમાં પાંચ આતંકવાદીનો ખાત્મો…

અનંતનાગના શ્રીગુફવારા વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં ઈસ્લામિક સ્ટેટ ઓફ જમ્મુ એન્ડ કાશ્મીર (ISJK)નો એક આતંકવાદી માર્યો ગયો છે.

Top Stories India
આતંકવાદી કાશ્મીરમાં સેનાએ એક આતંકવાદીને ઠાર માર્યો,24 કલાકમાં પાંચ આતંકવાદીનો ખાત્મો...

જમ્મુ અને કાશ્મીરમાં અનંતનાગના શ્રીગુફવારા વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં ઈસ્લામિક સ્ટેટ ઓફ જમ્મુ એન્ડ કાશ્મીર (ISJK)નો એક આતંકવાદી માર્યો ગયો છે.

કાશ્મીર પોલીસના મહાનિરીક્ષકના જણાવ્યા અનુસાર, માર્યો ગયો આતંકવાદી બિજબેહારા પોલીસ સ્ટેશનના એએસઆઈ મોહમ્મદ અશરફની હત્યામાં સામેલ હતો. માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ કડીપોરા વિસ્તારના રહેવાસી ફહીમ ભટ તરીકે થઈ છે. આ ઘટનાની માહિતી આપતા કાશ્મીર ઝોન પોલીસે આઈજીપી કાશ્મીરના હવાલાથી ટ્વીટ કરીને જણાવ્યું કે એન્કાઉન્ટર દરમિયાન એક આતંકીનું મોત થયું છે.

ઉલ્લેખનીય છે કે  કે ગઈ કાલે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો સાથે અલગ-અલગ અથડામણમાં પાંચ આતંકવાદીઓ માર્યા ગયા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓમાં એક IED નિષ્ણાત હતો. બે લશ્કર-એ-તૈયબા (LeT) ના આતંકવાદીઓ શોપિયાં જિલ્લામાં માર્યા ગયા, જ્યારે દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં બે અંસાર ગઝવા-ઉલ-હિંદ આતંકવાદીઓ માર્યા ગયા. તે જ સમયે, દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં એક આતંકવાદી પણ માર્યો ગયો.