Accident/ વલસાડ ખાતે ST બસ ચાલકે બાઇક સવાર બે લોકોનો લીધો ભોગ

વલસાડ શહેર ના આર. પી .એફ રોડ નજીક એસ.ટી બસ ની ટક્કર લાગતા મોટા ટાઇવડ માછીવાડ ,ખાતે રહેતા દંપતી નું કરૂણ મોત નિપજયુ હતું વલસાડ થી કપરાડા તરફ જતી એસ ટી બસ નંબર જીજે 18 ઝેડ 2610 પાછળ સી.બી.ઝેડ બાઇક નંબર જીજે 15 એ.એફ 6406 પર આવતા ધીરુભાઈ ટંડેલ તેમની પત્ની ને લઈ પસાર થઈ રહ્યા હતા

Gujarat Others
a 46 વલસાડ ખાતે ST બસ ચાલકે બાઇક સવાર બે લોકોનો લીધો ભોગ

@ઉમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ – વલસાડ 

ગુજરાત રાજ્યમાં એક પછી એક અકસ્માતની ઘટના સતત સામે આવી રહી છે. આવામાં વધુ એક અકસ્માતની ઘટના વલસાડથી સામે અવી છે. જ્યાં એસ.ટી બસ ચાલકે બાઇક સવારને અડફેટે લેતા બાઈક પર સવાર બે લોકો ના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતા. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.

આ મામલે મળતી માહિતી અનુસાર,વલસાડ શહેર ના આર. પી .એફ રોડ નજીક એસ.ટી બસ ની ટક્કર લાગતા મોટા ટાઇવડ માછીવાડ ,ખાતે રહેતા દંપતી નું કરૂણ મોત નિપજયુ હતું વલસાડ થી કપરાડા તરફ જતી એસ ટી બસ નંબર જીજે 18 ઝેડ 2610 પાછળ સી.બી.ઝેડ બાઇક નંબર જીજે 15 એ.એફ 6406 પર આવતા ધીરુભાઈ ટંડેલ તેમની પત્ની ને લઈ પસાર થઈ રહ્યા હતા, જ્યાં આર. પી.એફ રોડ નજીક એસ.ટી બસ ના પાછળ ના ભાગે ટક્કર લાગતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો,

જે અકસ્માતમાં ટંડેલ દંપતિનું સ્થળ પરજ કરુણ મોત નીપજ્યું હતું,ઘટનાની જાણ થતાં વલસાડ સીટી પોલીસ ની ટિમ દોડી આવી હતી, મૃતક બંને દંપતી ને હાલ વલસાડ સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડી વધુ તપાસ વલસાડ સીટી પોલીસ કરી રહી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો