બનાસકાંઠા,
બનાસકાંઠાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી હરિભાઇ ચૌધરી સામે વિરોધનો સૂર ઉઠ્યો છે. સ્થાનિકોએ હરિભાઇ ચૌધરીના બોર્ડ પર કૂચડો માર્યો છે.
ઉલ્લેખનીય છે હરિભાઇ ચૌધરીએ પાંથાવાડા ગામ વિકાસના કાર્યો કરવા માટે દતક લીધુ હતું. પરંતુ વિકાસના કોઇ પણ કામ થયા ન હતા.
જેથી સ્થાનિકો રોષે ભરાઇ ગયા હતા અને તેમની સામે રોષ ઠાલવ્યો હતો. મહત્વની વાત તો એ છે કે આગામી લોકસભાની ચૂંટણી આવી રહી છે હજું તો ભાજપે મૂરતિયાને નામ પણ જાહેર કર્યા નથી તેવામાં એક પછી એક સાંસદો સામે વિરોધનો સૂર ઉઠી રહ્યો છે.