બનાસકાંઠા,
બનાસકાંઠાના દિયોદર પંથકમાં આજે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો. વહેલી સવારથી વરસાદી માહોલ સર્જાયા બાદ અમી છાટણા થતા વાતાવરણ ઠંડુગાર બન્યું. કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતાતૂર બન્યા છે.
માવઠાના કારણે જીરુ તેમજ ઈસબગુલના પાકને નુકશાન થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. ઉલ્લેખનિય છે કે, અચાનક વાતાવરણમાં પલટો થતા ઠંડીનું પ્રમાણ પણ વધ્યું છે.