IPL 2022માં કોરોનાની અસર દેખાવા લાગી છે. દિલ્હી કેપિટલ્સમાં કોરોના સંક્રમણને લઈને 5 કેસ નોંધાયા બાદ બુધવારે પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચનું સ્થળ બદલવામાં આવ્યું છે. હવે આ મેચ પૂણેના એમસીએ સ્ટેડિયમને બદલે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે. IPLના બાયો-બબલમાં કોરોનાના વધુ નવા કેસ ન આવવાને ધ્યાનમાં રાખીને BCCIએ આ નિર્ણય લીધો છે.
પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચના સ્થળમાં આ ફેરફાર દિલ્હી કેપિટલ્સમાં કોરોનાના પાંચ નવા કેસ સામે આવ્યા બાદ થયો છે. જણાવી દઈએ કે 15 એપ્રિલે દિલ્હી ટીમના ફિઝિયોથેરાપિસ્ટ પેટ્રિક ફરહાર્ટ સંક્રમિત જોવા મળ્યા હતા. બીજા દિવસે ટીમના મસાજ થેરાપિસ્ટ ચેતન કુમારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બે દિવસ બાદ ટીમના ઓસ્ટ્રેલિયન બેટ્સમેન મિચેલ માર્શને વાયરસની ઝપેટમાં આવ્યા હતા. તે જ દિવસે ટીમના વધુ બે સભ્યો ડૉક્ટર અભિજીત સાલ્વી અને સોશિયલ મીડિયા મેનેજર આકાશ માને પણ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું.
દિલ્હી કેપિટલ્સના જે સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેઓ આઈસોલેશનમાં છે અને ડોક્ટરો તેમની દેખરેખ કરી રહ્યા છે. હવે છઠ્ઠા અને સાતમા દિવસે તેમની તપાસ કરવામાં આવશે અને બે કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેમને દિલ્હી કેપિટલ્સના બાયો-બબલમાં દાખલ કરવામાં આવશે. 16 એપ્રિલથી દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ મેમ્બરનો કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. હવે બુધવારે એટલે કે પંજાબ કિંગ્સ સામેની મેચના દિવસે કોરોના ટેસ્ટ માટે આરટી-પીસીઆર ટેસ્ટ થશે.
આ પણ વાંચો: IPL 2022 / મિશેલ માર્શનો રેપિડ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ, દિલ્હી-પંજાબ મેચ થશે કે નહીં?
આ પણ વાંચો: IPL 2022 / રાજસ્થાને કોલકાતાને આપ્યો 218 રનનો ટાર્ગેટ,બટલરની શાનદાર સદી