આરજેડીના નેશનલ પ્રેસિડેન્ટ અને એમનાં પરિવાર પર જે બેનામી લેન્ડ ડીલના આરોપ લાગ્યા છે એ બધાનાં ડોક્યુમેન્ટેશન ધરાવતી આ બુક 200 જેટલા પેજની છે. બિહારનાં ડેપ્યુટી ચીફ મીનીસ્ટર સુશીલ કુમાર મોદીએ આ બુકને લોન્ચ કરી હતી.
આ બુકનું વિમોચન પટનામાં એક કાર્યક્રમમાં ગુરુવારે થયું હતું. આ બુકમાં એ બધાં ડોક્યુમેન્ટ્સ છે જે પાછલાં વર્ષોમાં મોદી દ્વારા મીડિયામાં આપવામાં આવ્યા હતા જે લાલુ અને એમનાં પરિવારની કેટલી પ્રોપર્ટી છે અને બેનામી પ્રોપર્ટીના આરોપ લગાવ્યા હતા એનાં ડોક્યુમેન્ટ્સ છે.
‘લાલુ લીલા’ બુકમાં યુનિયન મીનીસ્ટર અરુણ જેટલી અને નીતિન ગડકરીના શબ્દો પણ છે જેમાં એમણે મોદીની હિમતનાં વખાણ કર્યા હતા કે એમણે ભ્રષ્ટાચારને પબ્લિકમાં ઉઘાડો પાડ્યો. આ બુકની પ્રસ્તાવના યુનિયન મીનીસ્ટર રવી શંકર પ્રસાદે લખી છે. એમણે મોદીની 40 જેટલી પ્રેસ કોન્ફરન્સનાં વખાણ કર્યા હતા જેમાં એમણે લાલુ ફેમીલીનાં ભ્રષ્ટાચાર વિષે ખુલાસો કર્યો હતો.આ બુક લોન્ચ કાર્યક્રમમાં ઘણાં યુનિયન મીનીસ્ટર્સ અને સ્ટેટ લીડર્સ પણ હાજર રહ્યાં હતા.