કાશ્મીર યુનિવર્સિટીના ગેટની બહાર મંગળવારે આતંકીઓએ ગ્રેનેડ દ્વારા હુમલો કર્યો છે. આ હુમલામાં બે સ્થાનિક નાગરિકો ઘાયલ થયા છે. સુરક્ષા દળોએ અખા વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આતંકીઓની ધરપકડ થાય તે માટે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરવામાં આવી છે. સાથે જ પોલીસે આ હુમલોને શંકાસ્પદ ગણાવ્યો છે. તેઓ કહે છે કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે કે તે ગ્રેનેડ હુમલો છે કે નહીં.
આ પહેલા 4 નવેમ્બરના રોજ શ્રીનગર શહેરના ભીડભરી વિસ્તાર હરિસિંહ સ્ટ્રીટમાં આતંકવાદીઓએ ગ્રેનેડ હુમલો કર્યો હતો. તેમાં એક કાશ્મીરી રમકડા વેચનારનું મોત નીપજ્યું હતું. જ્યારે 38 લોકો ઘાયલ થયા હતા. જોકે પોલીસે જણાવ્યું હતું કે આ ઘટનામાં ઘાયલોની સંખ્યા 15 છે. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
ઉઉલેખ્નીય છે કે આતંકવાદીઓ સેનાની તકેદારી, આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિ અને કાશ્મીરમાં બદલાતી પરિસ્થિતિને લઈને સંપૂર્ણ રીતે સમર્થ છે. લોકોમાં ભયનો માહોલ ફેલાવવા માટે આતંકવાદીઓ આવી ઘટનાઓને અંજામ આપવા માટેના તમામ નિષ્ફળ પ્રયાસો કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.