Viramgam News/ ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે વિરમગામની સમસ્યા અંગે મુખ્યમંત્રીને લખ્યો પત્ર, જાણો શું કહ્યું

સરકારની યોજનાઓ અને વિકાસની બડાઈ મારતા આ ધારાસભ્યએ પોતાના વિસ્તારની સમસ્યાઓ પર નારાજગી વ્યક્ત કરી છે.

Top Stories Gujarat Breaking News

Viramgam News:ફરી એક વાર ભાજપ (BJP) ના વિરમગામ (Viramgam) ના ધારાસભ્ય હાર્દિક પટેલે (Hardik Patel) સરકાર સામે બાયો ચઢાવી છે. તેમણે મૂળભૂત સુવિધાઓ અંગે ચિંતા અને ગુસ્સા સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે વિરમગામમાં ગટર અને ગંદા પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ભૂખ હડતાળ પર બેસવાની ધમકી આપી છે.પાટીદાર આંદોલનથી પ્રખ્યાત બનેલા હાર્દિક પટેલે હવે સરકાર સામે મોરચો ખોલ્યો છે. ભાજપની ટિકિટ પર વિરમગામથી ચૂંટણી લડનારા હાર્દિક પટેલે સરકાર સામે મોરચો ખોલ્યો છે. સરકારની યોજનાઓ અને વિકાસની બડાઈ મારતા આ ધારાસભ્યએ પોતાના વિસ્તારની સમસ્યાઓ પર નારાજગી વ્યક્ત કરી છે. હાર્દિક પટેલે મુખ્યમંત્રીને પત્ર લખીને વિરમગામ શહેરમાં ગટર અને ગંદકીના સામ્રાજ્યથી પરેશાન લોકોની પીડા વ્યક્ત કરી છે.

આપને જણાવી દઈએ કે હાર્દિક પટેલે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં કહ્યું છે કે લોકોના આશીર્વાદથી મને ગુજરાતના સૌથી યુવા ધારાસભ્ય તરીકે ચૂંટાઈને વિરમગામ વિધાનસભાની જનતાની સેવા કરવાની તક મળી છે. તમારા નેતૃત્વમાં મારી વિરમગામ વિધાનસભામાં હજારો કરોડ રૂપિયાના કામો મંજૂર થયા છે અને લગભગ બધા જ કામો પ્રગતિમાં છે. વિરમગામ શહેરમાં પણ શહેરવાસીઓને બગીચા, તળાવ, મિનારા અને તળાવોના સુંદરીકરણ સહિત અનેક વિકાસ કાર્યોની ભેટ મળી છે. પરંતુ વિરમગામ શહેરવાસીઓને મારી પાસેથી એક જ અપેક્ષા હતી કે શહેરમાં ભરાયેલા ગટરના પાણીનો કાયમી ઉકેલ આવશે, પરંતુ કોઈ કારણોસર આ ઉકેલ આવી રહ્યો નથી.

છેલ્લા ઘણા વર્ષોથી, વિરમગામ શહેરમાં ભરાયેલા ગટરના પાણીને કારણે ઐતિહાસિક શહેર શરમજનક સ્થિતિમાં મુકાઈ રહ્યું છે. વિરમગામ શહેરના ઘણા વિસ્તારોમાં ગટર ઓવરફ્લો, પીવાના પાણીમાં ભળેલા ગંદા પાણી અને સ્વચ્છતા અંગે લોકો તરફથી ઘણી ફરિયાદો છે. મારે આ મુદ્દે વિરમગામ શહેરવાસીઓ સાથે મજબૂતીથી ઊભા રહેવું પડશે. આ મુદ્દે લોકોને મારી પાસેથી ઘણી અપેક્ષાઓ છે. મારું માનવું છે કે વિરમગામ નગરપાલિકામાં સ્ટાફની અછત છે, પરંતુ લોકોની સમસ્યાઓનો ઉકેલ નગરપાલિકાએ જે રીતે કરવો જોઈએ તે રીતે થઈ રહ્યો નથી. જે વિસ્તારોમાં દબાણ દૂર કરવામાં આવ્યું છે, ત્યાં વિકાસના કામો મંજૂર કરવામાં આવ્યા છે અને ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યા છે. પરંતુ કોન્ટ્રાક્ટરો કામ કરી રહ્યા નથી. તેથી જ મારે લોકોની સાથે ઉભું રહેવું પડશે અને જરૂર પડશે તો મારે ભૂખ હડતાળમાં જોડાવું પડશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ધારાસભ્ય હાર્દિક પટેલે વિરમગામના નાગરિકોના પ્રશ્નોને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર લખ્યો

આ પણ વાંચો: વિરમગામના ભોજિયાપુરા ગામે વીજળી પડતા એક ખેડૂતનું મોત

આ પણ વાંચો: વિરમગામમાં મધમાખીઓનું ઝૂંડ શ્રધ્ધાળુઓ પર ત્રાટક્યું ,100થી વધુ લોકોને દંશ માર્યા, 20ને હોસ્પિટલ ખસેડાયા