બોલિવૂડ અભિનેતા ગોવિંદા મુખ્યમંત્રી એકનાથ શિંદેના જૂથ શિવસેનામાં જોડાઈ ગયા છે. ખુદ મુખ્યમંત્રી એકનાથ શિંદે તેમને શિવસેનાનું સભ્યપદ અપાવ્યું હતું. એવું માનવામાં આવે છે કે ગોવિંદા મુંબઈ નોર્થ વેસ્ટ લોકસભા સીટ પરથી ચૂંટણી લડી શકે છે.ગાઉ, શિંદે જૂથના શિવસેનાના પ્રવક્તા અને પૂર્વ ધારાસભ્ય કૃષ્ણા હેગડે સાથેની તેમની મુલાકાતની તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.ગોવિંદા શિવસેનાની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડશે તેવી અટકળો ચાલી રહી હતી. તેઓ મુંબઈ ઉત્તર પશ્ચિમ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.
2004માં ભાજપના દિગ્ગજ નેતાને હરાવ્યા
ગોવિંદાએ કોંગ્રેસની ટિકિટ પર મુંબઈ ઉત્તર પશ્ચિમ બેઠક પરથી 2004ની લોકસભા ચૂંટણી લડી હતી અને તત્કાલિન પેટ્રોલિયમ મંત્રી રામ નાઈકને હરાવ્યા હતા.ગોવિંદાએ 5 વખતના સાંસદ રામ નાઈકને લગભગ 50,000 વોટથી હરાવ્યા હતા. જો કે ચૂંટણી જીત્યા બાદ ગોવિંદા પર તેમના સંસદીય ક્ષેત્રમાં ન જવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.તે 2009માં રાજનીતિમાંથી ખસી ગયા અને ફિલ્મોમાં પાછા ફર્યા.
ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સાથે સ્પર્ધા થશે.
જો ગોવિંદા મુંબઈ નોર્થ વેસ્ટ સીટ પરથી ચૂંટણી લડશે તો તેનો મુકાબલો ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસેના નેતા અમોલ કીર્તિકર સાથે થશે.
અમોલ શિંદે જૂથના વર્તમાન સાંસદ ગજાનન કીર્તિકરના પુત્ર છે. અહીં શિંદેની પાર્ટી ગજાનનની ઉંમરને ધ્યાનમાં રાખીને ગોવિંદાને મેદાનમાં ઉતારી શકે છે.ગોવિંદા લગભગ બે વાર શિંદેને મળી ચૂક્યા છે. ગોવિંદા ટૂંક સમયમાં શિંદેની હાજરીમાં શિવસેનામાં જોડાશે.
આ પણ વાંચો:આરોઠે પિતા – પુત્રના છેતરપિંડી કેસમાં SOG નો નવો ખુલાસો, સ્વામિનારાયણ મંદિરના કર્યા હતા….
આ પણ વાંચો:એવું તો શું થયું કે, ગુજરાત હાઈકોર્ટે રેલવેને લગાવી ફટકાર, કહ્યું- સહન નહીં કરી શકીએ…