ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK) અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે બ્રેકઅપ થઈ ગયું છે. અન્નામલાઈના નિવેદનને લઈને બંને પક્ષો વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો હતો. બે સાથી પક્ષો વચ્ચેનો વિવાદ ત્યારે વધુ વકર્યો જ્યારે દ્રવિડિયન પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે તેની ભાજપ સાથે કોઈ ગઠબંધન નથી અને ચૂંટણી સંધિ પર કોઈ નિર્ણય ફક્ત ચૂંટણી દરમિયાન જ લેવામાં આવશે.
AIADMK leader D Jayakumar says, “We can’t accept continuous criticism on our leaders. Annamalai already criticised our leader Jayalalithaa. At that time, we passed a resolution against Annamalai. He should have stopped this. He is criticising Anna, Periyar and the General… https://t.co/VTJ62HpK3O pic.twitter.com/g71OpTez6N
— ANI (@ANI) September 18, 2023
AIADMKના વરિષ્ઠ નેતા ડી જયકુમારે દ્રવિડિયન નેતા સી એન અન્નાદુરાઈની ટીકા કરવા બદલ બીજેપી તમિલનાડુ એકમના પ્રમુખ કે અન્નામલાઈ પર પ્રહાર કરતા કહ્યું કે તેમની પાર્ટીના કાર્યકરો સ્વર્ગસ્થ મુખ્યપ્રધાનનું અપમાન સહન કરશે નહીં. તેમણે કહ્યું કે અન્નામલાઈએ સ્વર્ગસ્થ મુખ્યમંત્રી જે જયલલિતા સહિત AIADMK નેતાઓ વિશે ટીકા કરી હતી.
ભાજપ અને તેના રાજ્યના પ્રદેશ પ્રમુખ પર નિશાન સાધતા પૂર્વ મંત્રી જયકુમારે કહ્યું કે અન્નામલાઈ એઆઈએડીએમકે સાથે ગઠબંધન ઈચ્છતા નથી, જો કે ભાજપના કાર્યકરો એવું ઈચ્છે છે. શું આપણે આપણા નેતાઓની ટીકા સહન કરવી જોઈએ? ભાજપ અહીં પગ મુકી શકે તેમ નથી. તમે તમારી વોટ બેંક જાણો છો. તમે અમારા કારણે જાણીતા છો. જયકુમારે કહ્યું કે, અમે હવે પોતાની (નેતાઓ)ની ટીકા સહન કરી શકતા નથી. જ્યાં સુધી ગઠબંધનની વાત છે, એવું નથી. ભાજપ AIADMK સાથે નથી. આ અંગેનો નિર્ણય ચૂંટણી દરમિયાન જ લઈ શકાય છે. આ અમારું વલણ છે. એમ પૂછવામાં આવ્યું કે શું આ તેમનો અંગત અભિપ્રાય છે, જયકુમારે કહ્યું, ‘શું મેં ક્યારેય તમારી સાથે તે ક્ષમતામાં વાત કરી છે? પાર્ટી જે નિર્ણય કરે છે તેના પર જ હું વાત કરું છું.