ભારતની મુલાકાતે/ બ્રિટનના PM બોરિસ જોનસન ગૌતમ અદાણી સાથે કરી શકે છે મુલાકાત!

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન ભારતના પ્વાસે 21 એપ્રિલે આવવાના છે, આને તે ગુજરાતની મુલાકાત લેવાના છે. આ દરમિયાન તે ઉધોગપતિ ગૌતમ અદાણી સાથે  મુલાકાત કરશે

Top Stories Gujarat
1 81 બ્રિટનના PM બોરિસ જોનસન ગૌતમ અદાણી સાથે કરી શકે છે મુલાકાત!
  • બ્રિટનના PM જોનસન 21 એપ્રિલે ગુજરાત આવશે
  • ગુજરાતથી કરશે ભારત પ્રવાસની શરૂઆત
  • ગુજરાતમાં ગૌતમ અદાણી સાથે કરી શકે છે મુલાકાત
  • ગુજરાતના અન્ય ઉદ્યોગકારોને પણ મળી શકે છે
  • 22 એપ્રિલે મોદી અને જોનસન વચ્ચે સંભવિત મુલાકાત

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન ભારતના પ્વાસે 21 એપ્રિલે આવવાના છે, આને તે ગુજરાતની મુલાકાત લેવાના છે. આ  દરમિયાન તે ઉધોગપતિ ગૌતમ અદાણી સાથે  મુલાકાત કરશે, આ ઉપરાંત ટોચના ઉધોગપતિઓને પણ મળશે. 22 એપ્રિલના દિવસે બ્રિટનના વડાપ્રદાન નરેન્દ્ર મોદી સાથે સંભવિત મુલાકાત પણ  કરશે.

ઉલ્લેખનીય છે કે બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોનસન 21 એપ્રિલે ભારતની મુલાકાતે છે. તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જોનસન મુલાકાત ગુજરાતના અમદાવાદ શહેરથી શરૂ થશે અને ત્યારબાદ 22 એપ્રિલે દિલ્હીમાં વડાપ્રધાન મોદીને મળશે. જોનસન મુલાકાત ભારત-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) વાટાઘાટોના 26માંથી ચાર પ્રકરણોની સફળતાપૂર્વક પૂર્ણ થયા પછી આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને જોનસન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સમયરેખા પર ચર્ચા કરશે. શરૂઆતમાં આ વર્ષે પૂર્ણ કરવાનું આયોજન હતું. જોનસન નવા વિજ્ઞાન, આરોગ્ય અને ટેક્નોલોજી પ્રોજેક્ટ તેમજ ભારતમાં મુખ્ય ઉદ્યોગોમાં મોટા રોકાણોની જાહેરાત કરે તેવી અપેક્ષા છે.

આ પ્રથમ વખત બનશે કે જ્યારે કોઈ બ્રિટિશ વડાપ્રધાન ભારતના પાંચમા સૌથી મોટા રાજ્ય અને યુકેમાં લગભગ અડધા બ્રિટિશ-ભારતીય વસ્તીના ઘર એવા ગુજરાતની મુલાકાત લેશે. તે જ સમયે, એવી અપેક્ષા છે કે તેમની ગુજરાત મુલાકાત દરમિયાન તેઓ કોઈ મોટી જાહેરાત કરી શકે છે.