નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે તેમના બીજા બજેટમાં મધ્યમ વર્ગ પર ધ્યાન આપવાના હેતુને સ્પષ્ટ રીતે જણાવ્યું છે. તે મધ્યમ વર્ગના હાથમાં પૈસા આપવા માંગે છે, જેથી તે આ નાણાં તેના રોજિંદા જીવનમાં ખર્ચ કરી શકે. વર્તમાન યુગમાં આપણે જે નવી અર્થવ્યવસ્થાને અપનાવી છે તેનો મૂળ આધાર વપરાશ છે.
છેલ્લાં બે વર્ષથી ભારતીય અર્થવ્યવસ્થામાં મંદીની જે વાતો કરવામાં આવી રહી હતી તેણે ભલે અવગણવામાં આવે પણ સરકારે આર્થિક સર્વેને સ્વીકારી લીધો છે. અલબત્ત, સરકાર વૈશ્વિક આર્થિક મંદી, રોકાણ અને આ માટેની માંગને દોષી ઠેરવી રહી છે, પરંતુ અંતે એમણે માની લીધું છે કે વધતી માંગ અને રોકાણ દ્વારા જ આર્થિક સુસ્તીને પહોંચી વળી શકાય છે.
મધ્યમ વર્ગને તેના આવકવેરાની જાળમાં મુક્તિથી સૌથી વધુ આનંદ મળે છે. બાકી રહેલા પૈસાનો ઉપયોગ તે પોતાના અંગત જીવનની જરૂરિયાતોને પૂરી કરવા માટે કરી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.