Not Set/ અમદાવાદ બન્યું આત્મહત્યાનું એપી સેન્ટર, છેલ્લા 43 દિવસમાં 110 લોકએ આયખું ટુંકાવ્યું…

 આમ તો કોઇ પણ રાજ્યમાં મહાનગરો લોકોને રોજી રોટી અને છત આપવા માટે પ્રખ્યાત હોય છે. સામાન્ય રીતે લોકો પોતાનો રોટલો શોધવા મહાનગરોમાં આવે છે અને મહાનગરો મહદ અંશે લોકોની આશાઓ પુરી પણ કરે છે. જો કે, પાછલા થોડા મહિનાઓથી કોરોના અને કોરોના જેવા અનેક કારણો સાથે રોજી રોટી કમાવવા આવનાર સામાન્ય માણસથી મોટા માણસ […]

Ahmedabad Gujarat
7d9eecec3f363ce206dca5dd90b4d502 અમદાવાદ બન્યું આત્મહત્યાનું એપી સેન્ટર, છેલ્લા 43 દિવસમાં 110 લોકએ આયખું ટુંકાવ્યું...
7d9eecec3f363ce206dca5dd90b4d502 અમદાવાદ બન્યું આત્મહત્યાનું એપી સેન્ટર, છેલ્લા 43 દિવસમાં 110 લોકએ આયખું ટુંકાવ્યું...

 આમ તો કોઇ પણ રાજ્યમાં મહાનગરો લોકોને રોજી રોટી અને છત આપવા માટે પ્રખ્યાત હોય છે. સામાન્ય રીતે લોકો પોતાનો રોટલો શોધવા મહાનગરોમાં આવે છે અને મહાનગરો મહદ અંશે લોકોની આશાઓ પુરી પણ કરે છે. જો કે, પાછલા થોડા મહિનાઓથી કોરોના અને કોરોના જેવા અનેક કારણો સાથે રોજી રોટી કમાવવા આવનાર સામાન્ય માણસથી મોટા માણસ સુધીનાં તમામ કોઇને કોઇ બાબતે મુશ્કેલીમાં જોવામાં આવી રહ્યા છે. ખાસ કરીને કોરોના કાળમાં લોકોની આર્થિક સ્થિતિ તંગ જોવામાં આવી રહી છે અને લોકો આત્મહત્યા જેવા ઘાતક પગલા વધુને વધુ પ્રમાણમાં લઇ રહ્યા હોવાની વિગતો સામે આવી રહી છે.

0a4398457722756b15a669d65024a2e0 અમદાવાદ બન્યું આત્મહત્યાનું એપી સેન્ટર, છેલ્લા 43 દિવસમાં 110 લોકએ આયખું ટુંકાવ્યું...

વાત કરવામાં આવી રહી છે લોકોની નજરે ડ્રીમસીટી ગણાતા ગુજરાતનાં અમદાવાદ શહેરની અને આજ અમદાવાદ અત્યારે ચર્ચામાં છે છેલ્લા થોડા દિવસોમાં અમદાવાદમાં કોઇ ને કોઇ કારણે નોંધવામાં આવી રહેલા આત્મહત્યાનાં કિસ્સાનાં કારણે. જી હા, અમદાવાદ અત્મહત્યાના એપી સેન્ટર તરીકે હાલ ઉભરી રહ્યાની વિગતો સામે આવી રહી છે. 

ef187709d12d73d35a157d0da9dc81fb અમદાવાદ બન્યું આત્મહત્યાનું એપી સેન્ટર, છેલ્લા 43 દિવસમાં 110 લોકએ આયખું ટુંકાવ્યું...

છેલ્લા 43 દિવસમાં ગુજરાતમાં એક માત્ર અમદાવાદમાંથી જ 110 લોકોએ આત્મહત્યા કરી લીધી હોવાના આંકડા સામે આવી રહ્યા છે. જી હા, ફક્ત 43 દિવસમાં અધધધ 110 લોકોએ પોતાનુ આયખું ટુંકાવી દીધુ છે. જો કે, તમામ આત્મહત્યામાં એક સરખુ કારણ નથી જ હોતુ. પરંતુ આત્મહત્યા અને તેની સંલગ્ન વિગતો જોવામાં આવેે તો યુવાનો દ્વારા આત્મહત્યાનો માર્ગ પકડવાનાં આંકડા હચમચાવી દેનારા નોંધવામાં આવી રહ્યા છે. 

cef3dcf2aaa8b586c17af2d5eecd9278 અમદાવાદ બન્યું આત્મહત્યાનું એપી સેન્ટર, છેલ્લા 43 દિવસમાં 110 લોકએ આયખું ટુંકાવ્યું...

છેલ્લા 43 દિવસમાં 110 લોકો દ્વારા કરવામાં આવેલ આત્મહત્યામાં 82 પુરુષો અને 28 મહિલા હોવાનું સામે આવે છે. અને મોંધવારી, મહામારી, મંદી અને માથાફૂંટ આત્મહત્યા કરવાનાં સેન્ટરમાં હોવાની વિગતો વિદિત છે. કોઇ પણ કારણ હોઇ અત્મહત્યા મામલે અમદાવાદ એપી સેન્ટર બની રહ્યું હોય તે હકીકચ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews