કોરોનાનાં કપરા અને ભયાવહ કાળનો સામનો કરી ચૂકેલ અને હાલ પણ કરી રહેલ અમદાવાદ શહેર માટે કોરોના અને તેની ઇફેક્ટને લઇને માઠા પર માઠા સમાચાારો સામે આવી રહ્યી છે. સરકાર દ્વારા કરવામા આવેલા સર્વેમાં 49 % અમદાવાદીઓમાં કોરોના સંક્રમણ હોવાનું તારણ સામે આવ્યાની ગણતરીની કલાકોમાં જ ફરી ટેન્શન યુક્ત સમાચાર સામ આવી રહ્યા છે.
જી હા, અમદાવાદમાં હર્ડ- ઇમ્યૂનિટીનું અસ્તિત્વ જ નથી. AMCએ 30 હજાર લોકોનાં સેમ્પલ ચકાસ્યા હતા અને આ સર્વેમાં આવી સનસનીખેજ કે ટેન્શન યુક્ત વિગતો સામે આવી રહી છે. સેમ્પલનાં ટેસ્ટિંગ બાદ ચોંકાવનારું તારણ સામે આવતા સર્વત્ર ભયનો માહોલ જોવામાં આવી રહ્યો છે.
આપને જણાવી દઇએ કે, હર્ડ-ઇમ્યુનિટી માટે 70 થી 80 ટકા જોઇએ, તેને બદલે 17.50 ટકા પોઝિટિવિટી જ સર્વેમાં મળી છે. અમદાવાદ શહેરમાં 29 હજાર પૈકી 5263 કેસ પોઝિટિવ નોંધવામાં આવે છે. જેમાં સ્પેન, અમેરિકા જેવા દેશોનો પણ આવો જ મત, સાથે સાથે જાણીતા ડોકટરોનો પણ આજ પ્રકારનો મત કે, અમદાવાદ કોરોનાને લાઇટ લેવાની ભૂલ ન કરે કોરોના હજુ છે અને ખતરો હજુ સંપૂર્ણ ટળ્યો નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….