વિધાનસભાની ચુંટણીનુ બીજા તબક્કનુ મતદાન પુર્ણ થઈ ચુકયુ છે ત્યારે અનેક જગ્યાઓ પર અથડામણ પણ સર્જાઈ છે. જયાં જમાલપુર કાંચની મસ્જિદ પાસે બે જૂથ વચ્ચે અથડામણ થતાં પોલીસનો મોટો કાફલો દોડી આવ્યો હતો.
તો પાલનપુરના સદરપુર ગામમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો, તંગદિલી ભર્યો માહોલ જોવા મળ્યો હતો.
તો અમદાવાદના શાહપુર ચાર રસ્તા પાસે ભાજપના બૂથ ટેબલ પાસે હોબાળો મચ્યો હતો અને ત્યારબાદ પોલીસે બૂથ ટેબલ બંધ કરાવ્યું હતુ.
ત્યારે આણંદના ટાવર બજારમાં પથ્થમારો થયો હતો અને એક જ કોમના જૂથો વચ્ચે પથ્થરમારો થતાં સ્થિતિ વણસતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
ત્યારે પાલનપુરના ખસા ગામે ઇવીએમ મોબાઇલના બ્લૂ ટૂથ દ્વારા કનેક્ટ થતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યુ હતુ.
તો થરાદના જમડા ગામે બોગસ મતદાન કરવા જતાં લોકોએ પોલીસને જાણ કરી, 8 લોકોની અટકાયત કરવામાં આવી.
વિસનગરના હસનપુરમાં ચૂંટણીને લઇને બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. તો અથડામણમાં 6 લોકોને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા તો ટોળાને વિખેરવા માટે પોલીસે કર્યો લાઠીચાર્જ કરવો પડયો હતો.