New Delhi News: CBSE બોર્ડની ધોરણ 11 અને 12 ની પરીક્ષાની પદ્ધતિ(પેટર્ન)માં ફેરફાર કરાયો છે. જેમાં નાના – મોટા પ્રશ્નોનું વેઇટેજ 40%થી ઘટાડીને 30% કરાયું છે. જેમાં કોન્સેપ્ટ આધારિત સવાલોનું વેઇટેજ વધારીને 50% કરાયું છે. CBSE બોર્ડ દ્વારા વેબસાઈટ પર નવી પેટર્નનું પ્રશ્નપત્ર મુકાયું છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત બોર્ડ દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે.
CBSE બોર્ડ દ્વારા વેબસાઈટ પર નવી પેટર્નનું પ્રશ્નપત્ર મુકાયું છે. જેમાં વિદ્યાર્થીઓ ગોખણપટ્ટીના બદલે કોન્સેપ્ટને સમજી શકે તે માટે ફેરફાર કરાયો છે. હવેથી પરીક્ષાઓમાં પ્રશ્નોના લાંબા જવાબો લખવા પડશે નહીં. તેનાથી બાળકોમાં જવાબો યાદ રાખવાની વૃત્તિનો અંત આવશે અને શીખવાની વૃત્તિને પ્રોત્સાહન મળશે.
હાલમાં CBSEએ આ ફોર્મેટ માત્ર ધોરણ 11 અને 12 માટે જ લાગુ કર્યું છે. ધોરણ 9 અને 10ની પરીક્ષા પદ્ધતિમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ ફેરફાર નવી શિક્ષણ નીતિ 2020 પર આધારિત છે.
આ પણ વાંચો:એપ્રિલમાં 3 દિવસ દારૂની દુકાનો બંધ રહેશે, જાણો સમગ્ર માહિતી
આ પણ વાંચો:બિહારમાં સામૂહિક બળાત્કારના લીધે મહિલા બેભાન
આ પણ વાંચો:ભાઈને મારવા માટે આપી હતી સોપારી, શૂટરે કરી ભત્રીજાની હત્યા… સિહોરમાં સનસનાટીભર્યા