નવી દિલ્હીઃ શૈક્ષણિક વર્ષ 2024-25થી નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, NCERT ટૂંક સમયમાં ધોરણ 3 થી 6 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નવા અભ્યાસક્રમ અને પાઠયપુસ્તકોની જાહેરાત કરશે. બાકીના ધોરણોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ પહેલી એપ્રિલથી થાય છે.
NCERT એ CBSE ને જાણ કરી છે કે ત્રીજા થી છઠ્ઠા ધોરણ માટેનો નવો અભ્યાસક્રમ હાલમાં વિકાસ હેઠળ છે અને તે ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે. “પરિણામે, શાળાઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ વર્ષ 2023 સુધી NCERT દ્વારા પ્રકાશિત પાઠયપુસ્તકોની જગ્યાએ ધોરણ 3 અને 6 માટે આ નવા અભ્યાસક્રમ અને પાઠયપુસ્તકોને અનુસરે,” એમ સીબીએસઈના નિયામક (શિક્ષણશાસ્ત્ર) જોસેફ ઈમેન્યુઅલે જણાવ્યું હતું.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “વર્ગ 6 માટે એક બ્રિજ કોર્સ, અને ધોરણ 3 માટે સંક્ષિપ્ત માર્ગદર્શિકા NCERT દ્વારા વિકસિત કરવામાં આવી રહી છે જેથી વિદ્યાર્થીઓ માટે નવી શિક્ષણશાસ્ત્રની પ્રથાઓ અને અભ્યાસના ક્ષેત્રો નવા અભ્યાસક્રમ ફ્રેમવર્ક, 2023 સાથે સંલગ્ન થઈ શકે છે. એકવાર તેઓ NCERT તરફથી પ્રાપ્ત થાય પછી તમામ શાળાઓને ઑનલાઇન પ્રસારિત કરવામાં આવશે.
18 વર્ષ પછી નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક (NCF) ના એક રિવિઝનમાં, શિક્ષણ મંત્રાલયે ગયા વર્ષે ફેરફારોની સૂચના આપી હતી. NCF ભૂતકાળમાં ચાર પુનરાવર્તનોમાંથી પસાર થયું છે – 1975, 1988, 2000 અને 2005માં ફેરફાર થઈ ચૂક્યા છે.
કાઉન્સિલ નવા પાઠ્યપુસ્તકો તૈયાર કરવાની પ્રક્રિયામાં છે જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 ના અમલીકરણના ભાગરૂપે શાળા શિક્ષણ (NCF-SE) 2023 માટેના નવા રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખાને અનુરૂપ છે. “1 એપ્રિલ, 2024 થી શરૂ થતા શૈક્ષણિક વર્ષ 2024-25 માટે અન્ય વર્ગો માટે અભ્યાસક્રમ અને પાઠયપુસ્તકોમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં,” એમ તેમણે જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ IPL 2024/IPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા
આ પણ વાંચોઃ sports news/IPL 2024ની શરૂઆત પહેલા આ ટીમનું ટેન્શન થયું ડબલ, ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ રમવાનો કર્યો ઇનકાર
આ પણ વાંચોઃ IPL/ચિદંબરમ સ્ટેડિયમની પીચ કઈ ટીમને પ્રથમ મેચ જીતાડશે….