અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે 22 જાન્યુઆરીએ સમગ્ર દેશમાં અડધા દિવસની રજા રહેશે. કેન્દ્ર સરકારે 22 જાન્યુઆરીએ અડધા દિવસની રજાનો આદેશ જારી કર્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે કર્મચારીઓની ભારે લાગણી અને તેમની વિનંતીને કારણે કેન્દ્ર સરકારે અડધા દિવસની રજા જાહેર કરી છે.
રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે 22 જાન્યુઆરીએ બપોરે 2.30 વાગ્યા સુધી ભારતભરની તમામ કેન્દ્રીય સરકારી કચેરીઓ, કેન્દ્રીય સંસ્થાઓ અને કેન્દ્રીય ઔદ્યોગિક સંસ્થાઓમાં અડધા દિવસની રજા રહેશે. જણાવી દઈએ કે આ એટલા માટે કરવામાં આવી રહ્યું છે જેથી લોકો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકે.
પીએમ મોદીએ મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓને લઈને તમામ મંત્રીઓ પાસેથી ફીડબેક લીધા છે. મંત્રીઓને દિવાળીની જેમ ઉજવણી કરવાનું કહેવામાં આવ્યું છે. તેમને 22 જાન્યુઆરીએ તેમના ઘરમાં દીવા પ્રગટાવવા અને ગરીબોને ભોજન આપવાનું કહેવામાં આવ્યું છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે 22 જાન્યુઆરી પછી તેમના સંસદીય ક્ષેત્રના લોકોને ટ્રેન દ્વારા અયોધ્યા મોકલવામાં આવે.
આ પણ વાંચો:‘ધ સ્ટાર્ટઅપ ગાઈડ’ના કવર પેજનું કરાયું અનાવરણ
આ પણ વાંચો:વિદ્યાનગરમાં પતિએ પત્નીની હત્યા કરીને કર્યો આપઘાતનો પ્રયાસ
આ પણ વાંચો:EDએ CM કેજરીવાલને મોકલ્યું પાંચમું સમન્સ, આ દિવસે હાજર થવા માટે બોલાવ્યા
આ પણ વાંચો:નૌશેરામાં LoC પાસે લેન્ડમાઈન વિસ્ફોટ, એક અગ્નિવીર શહીદ, 2 જવાન ઘાયલ