મહારાષ્ટ્ર/ બદલાપુર ખાતે ફેક્ટરીમાં ગેસ લિક થતા લોકોમાં મચી અફરાતફરી, અનેક લોકોની તબિયત લથડી

મહારાષ્ટ્રના બદલાપુર ખાતે ગુરૂવારે મોડી રાતે એક ફેક્ટરીમાં ગેસ ગળતર થતા લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. ગુરૂવારે રાતે 10:22 કલાકે ગેસ ગળતર થતા આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડવા લાગી હતી.

Top Stories India
A 58 બદલાપુર ખાતે ફેક્ટરીમાં ગેસ લિક થતા લોકોમાં મચી અફરાતફરી, અનેક લોકોની તબિયત લથડી

મહારાષ્ટ્રના બદલાપુર ખાતે ગુરૂવારે મોડી રાતે એક ફેક્ટરીમાં ગેસ લિક થતા લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. ગુરૂવારે રાતે 10:22 કલાકે ગેસ ગળતર થતા આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડવા લાગી હતી. ત્યાર બાદ તાત્કાલિક ફાયર વિભાગને ઘટનાની જાણ કરવામાં આવી હતી અને એકાદ કલાકમાં ગેસ લિક પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.

થાણે નગર નિગમના કહેવા પ્રમાણે હાલ સ્થિતિ નિયંત્રણમાં છે અને કોઈ ઘાયલ નથી થયું. ગેસ લિકના કારણે કેટલાક લોકોને ઉલટીઓ થવા લાગી હતી અને જીવ ગભરાવા લાગ્યો હતો. એમઆઈડીસી ક્ષેત્રની નોબલ ઈન્ડિયા મીડિયા પ્રાઈવેટ લિમિટેડ ખાતે ગેસ લિકની આ ઘટના બની હતી.  આ કંપની એક રિએક્ટરમાં કાચા તેલ માટે 2 રસાયણો સલ્ફ્યુરિક એસિડ અને બેન્જિન ડિહાઈડ્રેડ ભેગા કરે છે.

આ પણ વાંચો :લોકડાઉન છતાં બ્રિટનમાં ડેલ્ટાનો કહેર, એક સપ્તાહમાં કોરોનાના કેસોમાં 49 ટકા વધારો

જો કે, જરૂરી તાપમાનને નિયંત્રિત કરવાને કારણે, ભૂલથી રીએક્ટરમાંથી હવા બહાર નીકળી ગઈ. એવું કહેવામાં આવ્યું હતું કે આ ગેસ ઝેરી નથી, પરંતુ તેના લીકેજથી શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આનાથી શરીરની ત્વચા અને આંખોને નુકસાન થાય છે.

આ પણ વાંચો :બે રાજ્યોમાં 90 હજાર બાળકો કોરોનાથી પ્રભાવિત, સમગ્ર દેશમાં કેટલા ? : સર્વેના ચોંકાવનારા આંકડાઓ

બદલાપુરના સ્થાનિક રહેવાસીએ જણાવ્યું હતું કે હું મારા સાથીદારો સાથે નજીકની ફેક્ટરીમાં કામ કરતો હતો. અચાનક અમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. પાછળથી અમને ખબર પડી કે નજીકની ફેક્ટરીમાં ગેસ લિક થયો છે. જોકે, ગેસ લિકેજ થતાં લોકોમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું અને લોકો અહીં-ત્યાં દોડવા લાગ્યા હતા.

લોકોને પોલીસ અને ફાયર બ્રિગેડના અધિકારીઓ દ્વારા જાણ કરવામાં આવી હતી કે આ ગેસ કોઈ ઝેરી નથી, પછી તેઓ શાંત થયા. પ્રાપ્ત માહિતી અનુસાર આ ગેસ લિકની અસર ત્રણ કિલોમીટર સુધી ચાલી હતી. આ દરમિયાન, ઘણા લોકોની તબિયત લથડતી હતી, જોકે કોઈ સ્થિતિ ગંભીર ન હતી.

આ પણ વાંચો :મેહુલ ચોકસીને ભારત પાછો લાવવામાં આવશે,કાનૂની પ્રક્રીયા પૂર્ણ થઇ રહી છે : વિદેશ મંત્રાલય