ગાંધીનગર : અત્યારે કાળઝાળ ગરમીમાં પણ ગાંધીનગરમાં બીમારીનો આતંક જોવા મળ્યો. ગાંધીનગરમાં કોલેરાનો કહેર જોવા મળતા આરોગ્ય વિભાગ દોડતું થયું. શહેરમાં ગત ડિસેમ્બરમાં કોલેરાના કેસ જોવા મળ્યા હતા. જેના બાદ આગઝરતી ગરમીમાં ગાંધીનગર જીલ્લા અને તેની આસપાસના ગામોમાં કોલેરાની બીમારીના કેસો સામે આવતા તંત્રને ચિંતા પેઠી. આરોગ્ય વિભાગ એલર્ટ થતા ગાંધીનગર, દહેગામ, કલોલ, ચિલોડા શિહોરી અને પેથાપુરમાં જાહેરનામું બહાર પાડ્યું. ગરમીમાં કોલેરાની બીમારીના કેસ લઈને પ્રાથમિક તારણ કઢાયુ છે કે પીવાના પાણીની લાઈનમાં ગટરના દુષિત પાણી ઘુસી જતા આ બીમારી ફેલાઈ છે.
ડિસેમ્બર મહિનાની ઠંડીમાં કોલેરાની બીમારીએ પ્રવેશ કર્યો હતો જેના 5 મહિનાના સમયગાળા બાદ ફરી કોલેરાની ગંભીર બીમારીએ ઉથલો માર્યો છે. કોલેરાએ ઉથલો મારતા આરોગ્ય વિભાગે તકેદારીના પગલાંરૂપે જાહેરનામું બહાર પાડતા ગાંધીનગર, દહેગામ, કલોલ, ચિલોડા શિહોરી અને પેથાપુર વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કર્યા. ગાંધીનગર ઉપરાંત શિહોલી મોટી વિસ્તાર,કલોલના રામદેવપુરા, પેથાપુરના વણકરવાસમાં પણ મોટી સંખ્યામાં કોલેરાના કેસ જોવા મળ્યા. જણાવી દઈકે કોલેરા બીમારી પ્રદૂષિત પાણી અને પ્રદૂષિત ખોરાકથી થાય છે. કોલેરા પાણીને લગતો રોગ ભારતના અમુક પ્રદેશોમાં હંમેશા મળી આવતો રોગ છે. કોલેરા એક ઝડપથી ફેલાતો રોગ છે જે કોઈપણ વ્યક્તિને થઈ શકે છે. ખાસ કરીને જ્યાં વધુ પડતી ભીડ અને મેળવાડા હોય ત્યાં આ રોગનું ચેપ લાગવાનું જોખમ વધુ રહે છે. આથી આ રોગને ફેલાતો અટકાવવા સ્વચ્છતાની સાથે વધુને વધુ લોકો ભેગા ના થાય તે પણ જરૂરી છે.
આ પણ વાંચો: બોટાદમાં જમીન વિવાદમાં કાકાએ ભત્રીજાની હત્યા કરી
આ પણ વાંચો: દાહોદમાં ખેતીલાયક જમીનમાં નકલી હુકમોનું કૌભાંડ
આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતમાં દરિયો ન ખેડવા સાગરખેડૂઓને સૂચના