Not Set/ Unlock 4/ ગૃહ મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન, જાણો ક્યારે ખુલી શકે છે શાળા-કોલેજો

  કોરોનાવાયરસ રોગચાળા વચ્ચે અનલોક પ્રક્રિયા ચાલી રહી છે. 1 સપ્ટેમ્બરથી શરૂ થનારા અનલોક 4 માટે, ગૃહ મંત્રાલયે શનિવારે માર્ગદર્શિકા જારી કરી હતી. ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર, 7 સપ્ટેમ્બરથી મેટ્રો સેવાઓ શ્રેણીબદ્ધ ખોલવામાં આવશે. જો કે, કોરોનાનાં વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને 30 સપ્ટેમ્બર 2020 સુધી શાળાઓ અને કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. […]

India
cf798733c6d4a93250e4eee7c5a46720 Unlock 4/ ગૃહ મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન, જાણો ક્યારે ખુલી શકે છે શાળા-કોલેજો
cf798733c6d4a93250e4eee7c5a46720 Unlock 4/ ગૃહ મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન, જાણો ક્યારે ખુલી શકે છે શાળા-કોલેજો 

કોરોનાવાયરસ રોગચાળા વચ્ચે અનલોક પ્રક્રિયા ચાલી રહી છે. 1 સપ્ટેમ્બરથી શરૂ થનારા અનલોક 4 માટે, ગૃહ મંત્રાલયે શનિવારે માર્ગદર્શિકા જારી કરી હતી. ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર, 7 સપ્ટેમ્બરથી મેટ્રો સેવાઓ શ્રેણીબદ્ધ ખોલવામાં આવશે. જો કે, કોરોનાનાં વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને 30 સપ્ટેમ્બર 2020 સુધી શાળાઓ અને કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, કેટલાક મામલામાં છૂટ આપવામાં આવી છે.

ગૃહ મંત્રાલયે જારી કરેલી નવીનતમ માર્ગદર્શિકા મુજબ સામાજિક, રાજકીય અને ધાર્મિક સહિત અન્ય કાર્યક્રમોની મંજૂરી આપવામાં આવશે, પરંતુ 100 થી વધુ લોકોને તેમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ સમય દરમિયાન, માસ્કનો ઉપયોગ, સામાજિક અંતર, થર્મલ સ્ક્રિનિંગ અને સેનિટાઇઝર્સ ફરજિયાત રહેશે. ઓપન એર થિયેટર 21 સપ્ટેમ્બરથી ખુલશે. સિનેમા હોલ, સ્વિમિંગ પુલ, મનોરંજન ઉદ્યાનો, થિયેટરો (ઓપન એર થિયેટર સિવાય) અને આવા સ્થળોએ પ્રવૃત્તિઓ પ્રતિબંધિત રહેશે. વંદે ભારત મિશન અને એર બબલ હેઠળ કાર્યરત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ સિવાય અન્ય આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ બંધ રહેશે.

નવીનતમ માર્ગદર્શિકામાં કેન્દ્રીય ગૃહમંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહ્યું છે કે તમે કન્ટેનમેન્ટ ઝોનની બહાર તમારુ સ્થાનિક લોકડાઉન લાગુ નહી કરી શકો. આ મહત્વનું છે કારણ કે કેન્દ્ર સરકારે લોકડાઉન હટાવ્યા બાદ ઘણા રાજ્યો પોતાનુ લોકડાઉન લાદી રહ્યા હતા. વળી એ પણ પુનરાવર્તિત કરવામાં આવ્યું છે કે એક રાજ્યથી બીજા રાજ્યમાં અથવા તે જ રાજ્યની અંદર લોકોની અવરજવર પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં અને પરવાનગીની જરૂર રહેશે નહીં. આ મહત્વપૂર્ણ છે કારણ કે કેન્દ્ર સરકારનાં કહેવા છતા કેટલાક રાજ્યો તેમના પ્રવેશ પ્રતિબંધ પર અડી રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.