Navasari : નવસારીના ખેરગામમાં એક જ્વેલર્સ સાથે છેતરપિંડી થતાં ફરિયાદ કરી છે. એક મહિલાએ ડેપ્યુટી કલેક્ટર તરીકેની ઓળખ આપી રૂપિયા 6.63 લાખના સોનાના દાગીના ખરીદ્યા હતા. ચેક રિટર્ન થતાં જ્વેલર્સને છેતરપિંડીની ફરિયાદ કરી હતી.
ખેરગામમાં ઝંડાચોકમાં જલારામ જવેલર્સના સંચાલક સાથે છેતરપિંડી થયાનું જાણવા મળ્યું છે. એક મહિલાએ ડેપ્યુટી કલેક્ટર તરીકેની ઓળખ આપી જ્વેલર્સ પાસે સોનાના દાગીના ખરીદ્યા હતા અને રૂ. 6.63 લાખનો ચેક આપ્યો હતો.
મહિનાઓ બાદ ચેક રિટર્ન થતાં જ્વેલર્સે ખેરગામ પોલીસ મથકમાં મહિલા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો:મહેસાણાના ઝુલાસણ ગામમાં કિશોરીને ભગાડવાની ઘટના
આ પણ વાંચો:અમદાવાદની ગ્રાન્ટેડ શાળાઓ સામે કરોડોની રિકવરી કાઢતાં ડીઈઓ
આ પણ વાંચો:હવે રાહુલ ગાંધીનું રાજામહારાજાઓ પર વિવાદાસ્પદ નિવેદન