કોંગ્રેસે શનિવારે 18 ડિસેમ્બરથી ‘ડોનેટ ફોર દેશ’ નામના ઓનલાઈન ક્રાઉડફંડિંગ ઝુંબેશ શરૂ કરવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે આ પહેલ 1920-21માં મહાત્મા ગાંધીના ઐતિહાસિક તિલક સ્વરાજ ફંડથી પ્રેરિત છે.
એક પત્રકાર પરિષદને સંબોધતા કોંગ્રેસના મહાસચિવ (સંગઠન) કેસી વેણુગોપાલે કહ્યું કે, આજે અમે ડોનેટ ફોર દેશ નામના ઓનલાઈન ક્રાઉડ ફંડિંગ પ્રોગ્રામની જાહેરાત કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે, આ પહેલ 1920-21માં મહાત્મા ગાંધીના ઐતિહાસિક તિલક સ્વરાજ ફંડથી પ્રેરિત છે અને તેનો ઉદ્દેશ્ય સમાન સંસાધન વિતરણ અને તકો સાથે સમૃદ્ધ ભારતના નિર્માણમાં અમારી પાર્ટીને સશક્ત બનાવવાનો છે.
વેણુગોપાલે જણાવ્યું હતું કે, અમારું ઉદ્ઘાટન અભિયાન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની 138 વર્ષની સફરની ઉજવણી કરે છે, જે એક સારા ભારત માટે ચેરિટી છે. અપણા ઈતિહાસને સ્વીકારીને, અમે સમર્થકોને 138 રૂપિયા તથા 1380 રૂપિયાથી વધુનું દાન આપવા માટે આમંત્રિત કરીએ છીએ, જે વધુ સારા ભારત માટે પક્ષની કાયમી પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.
આ દરમિયાન કોંગ્રેસના કોષાધ્યક્ષ અજય માકને જણાવ્યું હતું કે, જેઓ દાન કરવા માંગે છે તેઓ ભારતીય નાગરિક અને 18 વર્ષથી વધુ ઉંમરના હોવા જોઈએ.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: