Tribute : જેડીયુના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ યાદવનું નિધન થયું છે. શરદ યાદવની પુત્રીએ આ અંગે માહિતી આપી છે. શરદ યાદવની ગણતરી બિહારના દિગ્ગજ નેતાઓમાં થાય છે. તેમણે 75 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. શરદ યાદવની તબિયત ઘણા સમયથી ખરાબ ચાલી રહી હતી, ત્યારબાદ તેમને ગુરુગ્રામની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. 2002માં જનતા દળની રચના થયા બાદ શરદ યાદવ ઘણા વર્ષો સુધી પાર્ટીના અધ્યક્ષ હતા. આ સાથે તેઓ સાત વખત લોકસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે. તબિયત અને અનેક કારણોસર તેઓ છેલ્લા કેટલાક સમયથી સક્રિય રાજકારણમાં જોવા મળ્યા ન હતા.તેમના નિધન પર અનેક રાજકિય નેતાઓએ શ્રદ્વાજંલિ આપી છે,જેમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે તથા વેણુ ગોપાલએ પણ શરદ યાદવને શ્રદ્વાંજલિ આપી હતી.
Shocked at the demise of Sharad Yadav ji. He was a staunch socialist and committed to the idea of an inclusive India. My sincere condolences to his family. Om Shanti 🙏🏽 pic.twitter.com/HCJ8hKdhV4
— K C Venugopal (@kcvenugopalmp) January 12, 2023
देश की समाजवादी धारा के वरिष्ठ नेता, जेडीयू के पूर्व अध्यक्ष, श्री शरद यादव जी के निधन से दुःखी हूँ।
एक पूर्व केंद्रीय मंत्री व दशकों तक एक उत्कृष्ट सांसद के तौर पर देश सेवा का कार्य कर,उन्होंने समानता की राजनीति को मज़बूत किया।
उनके परिवार एवं समर्थकों को मेरी गहरी संवेदनाएँ।
— Mallikarjun Kharge (@kharge) January 12, 2023
ઉલ્લેખનીય છે કે શરદ યાદવનો જન્મ 1 જુલાઈ 1947ના રોજ મધ્ય પ્રદેશના હોશંગાબાદના બંધાઈ ગામમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો. ખેડૂતના ઘરમાં જન્મેલા શરદ વાંચન અને લખવામાં ખૂબ જ ઝડપી હતા. વિદ્યાર્થી રાજનીતિમાંથી રાષ્ટ્રીય રાજનીતિમાં પોતાની ઓળખ બનાવનાર શરદ યાદવે બિહારના રાજકારણમાં પણ મોટું સ્થાન હાંસલ કર્યું હતું. શરદ યાદવે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને પછી બિહારમાં પોતાનો રાજકીય પ્રતાપ જીત્યો હતો.
cricket/બીજી વનડેમાં શ્રીલંકાને હરાવી ભારતે શ્રેણીમાં અજેય સરસાઈ મેળવી
cold in Delhi/દિલ્હીમાં કડકડતી ઠંડી વચ્ચે વરસાદ, હવામાન વિભાગે કરી આ આગાહી