Ahmedabad News: કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે આજે સાંજે 4 વાગ્યે અમદાવાદ પહોંચી વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપશે અને એકતા દર્શાવશે. મલ્લિકાર્જુન ખડગે સરકારી સિવિલ હોસ્પિટલમાં ઘાયલો અને શોકગ્રસ્ત પરિવારોને મળશે અને દુ:ખદ વિમાન દુર્ઘટના સ્થળની મુલાકાત લેશે.
कांग्रेस अध्यक्ष और राज्यसभा में विपक्ष के नेता श्री मल्लिकार्जुन खड़गे जी कल (14/6/25) अहमदाबाद दोपहर 4 बजे आएंगे और हवाई जहाज दुर्घटना के मृतकों को श्रद्धांजलि अर्पित करेंगे तथा एकजुटता दिखाएंगे। वे सरकारी सिविल अस्पताल में घायलों और शोकाकुल परिवारों से मिलेंगे तथा दुःखद विमान… pic.twitter.com/JXkEAa279w
— Shaktisinh Gohil MP (@shaktisinhgohil) June 13, 2025
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે અકસ્માતની ન્યાયિક તપાસની માંગ કરી છે. તેમણે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી છે. તેમણે કોંગ્રેસ સહિત તમામ સંગઠનોના કાર્યકરોને ઘાયલો અને મૃતકોના પરિવારોને મદદ કરવા અપીલ કરી છે.
ખડગેએ કહ્યું કે સરકારે પીડિતોને નાણાકીય અને તબીબી સહાય સહિત તમામ જરૂરી મદદ પૂરી પાડવાની સંપૂર્ણ જવાબદારી લેવી જોઈએ. સરકારે ખાતરી કરવી જોઈએ કે તમામ ઘાયલોને પ્રાથમિકતાના ધોરણે સારવાર મળે.
તેમણે અકસ્માતના કારણો શોધવા અને જવાબદારોને ઓળખવા માટે ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસની પણ માંગ કરી. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના વર્તમાન અથવા નિવૃત્ત ન્યાયાધીશ દ્વારા તપાસનો આદેશ આપવો જોઈએ જેથી અકસ્માત શા માટે થયો અને તેના માટે કોણ જવાબદાર છે તે શોધી શકાય. ખડગેએ દાવો કર્યો હતો કે પાઇલટ પર નિર્ધારિત પ્રસ્થાન સમય પહેલાં ઉડાન ભરવા માટે કથિત દબાણ હતું.તપાસમાં જ સત્ય બહાર આવશે.
આ પણ વાંચો:વિજય રૂપાણીની અંતિમક્રિયા રાજકોટમાં થશે! 600થી વધુ શાળાઓ આજે બંધ
આ પણ વાંચો:અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ વિમાનનું બ્લેક બોક્સ મળી આવ્યું, જાણો તપાસમાં તે કેવી રીતે મદદરૂપ થાય છે
આ પણ વાંચો:અમદાવાદ પ્લેન ક્રેશઃ DGCAની કામગીરીને લઈ ઊભો થયો સવાલ
