Election/ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે મતદાર યાદી જાહેર નહીં કરે,નેતાઓની માંગ ફગાાવી દેવામાં આવી.જાણો કેમ

કોંગ્રેસમાં નવા પ્રમુખની પસંદગી માટે ચૂંટણી યોજાઈ રહી છે. કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી પહેલા મનીષ તિવારી અને કાર્તિ ચિદમ્બરમે મતદાર યાદી જાહેર કરવાની માંગ કરી હતી.

Top Stories India
6 કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે મતદાર યાદી જાહેર નહીં કરે,નેતાઓની માંગ ફગાાવી દેવામાં આવી.જાણો કેમ

કોંગ્રેસમાં નવા પ્રમુખની પસંદગી માટે ચૂંટણી યોજાઈ રહી છે. કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી પહેલા મનીષ તિવારી અને કાર્તિ ચિદમ્બરમે મતદાર યાદી જાહેર કરવાની માંગ કરી હતી. હવે કોંગ્રેસ પાર્ટી દ્વારા આ માંગને ફગાવી દેવામાં આવી છે. કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું છે કે આ એક આંતરિક પ્રક્રિયા છે અને પાર્ટીનો કોઈપણ સભ્ય કોઈપણ પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યાલયમાંથી મતદાર યાદીની નકલ મેળવી શકે છે.

સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી (સંગઠન) કેસી વેણુગોપાલે સ્પષ્ટ કહ્યું છે કે પાર્ટીનો કોઈપણ કાર્યકર પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયની મુલાકાત લઈ શકે છે અને મતદાર યાદીની નકલ જોઈ શકે છે. કેસી વેણુગોપાલ બુધવારે રાહુલ ગાંધીના નેતૃત્વમાં આગામી સપ્તાહની ભારત જોડો યાત્રાની તૈયારીઓના સંદર્ભમાં કેરળમાં હતા.

કેરળના અલપ્પુઝામાં પત્રકારો સાથે વાત કરતા એક પ્રશ્નના જવાબમાં કેસી વેણુગોપાલે કહ્યું કે આ એક આંતરિક પ્રક્રિયા છે અને તેને તમામ લોકો જોઈ શકે તે માટે પ્રકાશિત કરી શકાય નહીં. તેમણે કહ્યું કે કોંગ્રેસ સેન્ટ્રલ ઇલેક્શન ઓથોરિટીના અધ્યક્ષ મધુસૂદન મિસ્ત્રી આ અંગે સત્તાવાર નિવેદન જારી કરી ચૂક્યા છે.

કેસી વેણુગોપાલે કહ્યું કે કોંગ્રેસમાં આવી કોઈ પરંપરા નથી. અમે જૂની પરંપરાને અનુસરવાનું ચાલુ રાખીશું. કેસી વેણુગોપાલનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે નવા કોંગ્રેસ અધ્યક્ષની પસંદગી માટે યોજાનારી ચૂંટણીમાં નિષ્પક્ષતા અને પારદર્શિતાનો અવાજ પાર્ટીની અંદર તેજ થઈ ગયો છે. કોંગ્રેસના નેતાઓ શશિ થરૂર, મનીષ તિવારી અને કાર્તિ ચિદમ્બરમે માંગ કરી હતી કે ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે મતદાર યાદી જાહેર કરવામાં આવે.