નિવેદન/ ગુજરાતના રાજ્યપાલનું વિવાદિત નિવેદન,હિન્દુ સમાજ ઢોગી નંબર 1 છે!

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પોઇચા ગામે નિલકંઠધામ-સ્વામિનારાયણ મંદિર પરિસર ખાતે હિન્દુ સમાજ વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું કે હિન્દુ સમાજ ઢોંગી નંબર 1 છે

Top Stories Gujarat
9 12 ગુજરાતના રાજ્યપાલનું વિવાદિત નિવેદન,હિન્દુ સમાજ ઢોગી નંબર 1 છે!

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિવાદિત નિવેદન આપતા ખળભળાટ મચી ગયો છે. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પોઇચા ગામે નિલકંઠધામ-સ્વામિનારાયણ મંદિર પરિસર ખાતે હિન્દુ સમાજ વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું કે હિન્દુ સમાજ ઢોંગી નંબર 1 છે. પોઇચા ખાતે યોજાયેલા “ પ્રાકૃતિક કૃષિ…. પ્રકૃતિના શરણે ” પરિસંવાદ કાર્યક્રમમાં આ વિવાદિત નિવેદનને પગલે હિન્દુ સમાજમાં ભારે રોષ ફેલાયો છે. આ કાર્યક્રમમાં સંસદ સભ્ય મનસુખભાઇ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા, જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયા, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, પૂર્વ મંત્રી મોતિસિંહ વસાવા ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યપાલ આચાર્યે કહ્યું કે મનુષ્ય ગૌ માતાની પૂજા કરે છે, માથે તિલક લગાવે છે પણ જો ગૌ માતા દૂધ આપતી બંધ થઈ જાય તો તેને છોડે મૂકે છે. જે ગૌ માતાનું દૂધ નથી પીતા કે ગૌ માતાને પાળતા પણ નથી એવા લોકો પણ સ્વાર્થ માટે ગૌ માતાની જય બોલાવે છે. એટલે જ કહું છું કે આ દુનિયાના અસંખ્ય પ્રાણીઓમાં મનુષ્ય સૌથી મોટો ઢોંગી, પાખંડી, બનાવટી અને દેખાવો કરનાર પ્રાણી છે, હિન્દુ સમાજ ઢોંગી નંબર 1 છે. સ્વાર્થ માટે ગાય માતાજી કી જય હો માત્ર બોલે છે.